શિવરાજગઢમાં પત્નીનાં નિધનની ગણતરીની મિનિટમાં પતિની અનંત વાટ

  • May 01, 2024 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા જયાબેન ખીમજીભાઈ વઘાસિયા નું નિધન તા ગ્રામ પંચાયત દ્વારા નીતિનિયમ મુજબ દુખદ અવસાનની જાહેરાત કરવામાં આવી હતી તેઓની અંતિમવિધિ માટે સગા સ્નેહી અને સંબંધીઓ ગ્રામજનો એકત્રિત ઈ રહ્યા હતા તે દરમિયાન જ જયાબેનના પતિ ખીમજીભાઇએ પણ અનંતની વાટ પકડી લેતા વૃદ્ધ દંપતિની એક સો સ્મશાન યાત્રા નીકળતા નાના એવા શિવરાજગઢ ગામમાં ગમગીની પ્રસરી જવા પામી હતી 

વૃદ્ધ દંપતીને સંતાનમાં બે પુત્ર જયંતીભાઈ, જસમતભાઈ છે. અને એક પુત્રી ભાનુબેન બાંદ્રા ગામે સાસરે છે ખેડૂત પરિવારના વટવૃક્ષ સમાન વૃદ્ધ દંપતિ સહિયારા અનંત વાટે નીકળી જતા પૌત્ર પૌત્રીઓ સહિતનો પરિવાર ગમગીન બન્યો હતો આ વેળાએ સ્મશાન યાત્રામાં જોડાયેલા ડાઘુઓની આંખમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી હતી આ તકે તેમની સો સમય વિતાવનાર લોકોનાં જણાવ્યા  મુજબ વૃદ્ધ દંપતિ સ્વભાવે મળતાવડા હતા અને  બીજાનાં દુ:ખમાં ભાગ લેનારા હતા તેઓના નિધની પરિવાર ગ્રામજનો પણ દુ:ખી બન્યા હતા દંપતિએ જીવનભર સો રહી ખેત કામ કરી ઘર ગુજરાન ચલાવી પરિવારને હુંફ  આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application