રામેશ્વરનગરમાં પરીણીતાએ નણંદનો ઠપકો સહન નહીં થતાં આયખુ ટુંકાવ્યું

  • May 30, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોતુ કરવા બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવવાથી પગલું ભર્યુ

જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાની નણંદ નો ઠપકો સહન નહીં થતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. ઘરમાં પોતું કરવા બાબતે ઠપકો આપ્યો હોવાથી આપઘાત કરી લીધાનું જાહેર થયું છે.
 આ બનાવ ની વિગત એવી છે કે જામનગરના રામેશ્વરનગર શેરી નંબર-૨માં રહેતી ભારતીબા ધર્મપાલસિંહ જાડેજા (ઉ.વ.૩૦)એ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતક ના પતિ ધર્મપાલસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. વી.એસ.સામાણી દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
 આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં મૃતક ભારતીબાને તેણીની નણંદ  જલ્પાબાએ પોતું કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જે વાતનું મનમાં લાગી આવતા આતમહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. જે બાબતે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
**
*જામનગરમાં સીએની તૈયારી કરતા યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતા અને સી.એ. અભ્યાસ કરતા એક યુવાને પોતાના વાંચનના તણાવને લઈને જિંદગીથી તંગ આવી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે કરૂણાંતિકા છવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાલવાડી નજીક ઉમિયા નગર વિસ્તારમાં રહેતા અને સી.એ. ની તૈયારી કરતા શ્યામ પરેશભાઈ ઝાલા નામના ૨૩ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમા સાડી બાંધી ગાળાફાંસા દ્વારા  આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ જય પરેશભાઈ ઝાલાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application