પોરબંદરમાં યુવાનની માતાની મજાક કરવાની ના પાડતા ત્રણ શખ્શોએ યુવાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બોખીરાના કે.કે.નગરમાં રહેતા રોહનગીરી દિનેશગીરી ગોસ્વામી નામના ૧૯ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૩-૧૦ના રાત્રે સાડા દસ વાગ્યે છાયામાં તેના માસા સુરેશગીરી નારણગીરીના ઘરે પ્રસંગ અનુસંધાને ગયો હતો. ત્યાં તેના મમ્મી નિર્મળાબેન પણ આવ્યા હતા. તેઓ દર્શન કરીને પાછા ઉભા થતા હતા ત્યારે રતનપર રોડ પર ચાણકય સ્કૂલ પાસે રહેતા દીપકગર નારણગર અપારનાથીએ રોહનગીરીના માતા નિર્મળાબેનની મજાક કરી હતી આથી ફરીયાદીએ તેને મજાક કરવાની ના પાડી હતી અને ત્યાંથી દીપકગર અને ફરિયાદી અલગ પડયા હતા. થોડા સમય પછી દીપકગરે ફોન કરીને રોહનગીરીને ઘર પાસે બોલાવ્યો હતો ત્યાં જતા રોહનગીરીને દીપકગરે ગાળો દઇને લાકડાના હાથાવાળી કુહાડી માથામાં મારી હતી ત્યારબાદ દીપકનો પિતા નારણગર અને ભાઇ જયગર પણ ત્યા આવ્યો હતો અને તેઓ બન્ને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને ‘તુ પોલીસમાં ફરિયાદ કરીશ તો તને મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી અને ચાલ્યા ગયા હતા ત્યારબાદ ફરીયાદીનો ભાઇ જસ્મીનગીરી આવી જતા તેણે રોહનગીરીને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે દાખલ કરાવ્યો હતો અને ફરીયાદી તથા આરોપી એક જ સમાજના હોવાથી સમાધાનની વાતચીત ચાલુ હતુ પરંતુ આરોપીઓએ સમાધાન કરવાની ના પાડતા અંતે રોહનગીરીએ દીપકગર નારણગર અપારનાથી, જયગર નારણગર અપારનાથી અને નારણગર અપારનાથી સામે કમલાબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech