નવાગામ ઘેડમાં અગમ્ય કારણસર વૃઘ્ધે જીવાદોરી ટુંકાવી

  • October 06, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમાણામાં અકસ્માતે બીજા માળેથી પટકાતા શ્રમિક મહિલાનું મોત: મીઠોઇ પાટીયે યુવાનનું મૃત્યુ : ઓળખ માટે તજવીજ


જામનગરના નવાગામ ઘેડમાં રહેતા એક વૃઘ્ધે કોઇ કારણસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો, જયારે સમાણા રડાર બિલ્ડીંગમાં મજુરી કામ કરતા મહિલાનો બીજા માળેથી પગ લપસતા નીચે પટકાતા ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું.


નવાગામ ઘેડ શેરી નં. 2 ખાતે રહેતા અજયભાઇ બાલુભાઇ સોલંકી (ઉ.વ.54) નામના વૃઘ્ધે તા. 5ના રોજ પોતાની ઘરની ઓસરીમાં આડીમાં દોરી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો, કોઇ અગમ્ય કારણસર આ પગલુ ભરી લીધાનું પોલીસ ચોપડે જાહેર કરાયું છે, પાર્થ અજયભાઇ સોલંકીએ પોલીસને જાણ કરતા કારણ જાણવા તપાસ ચલાવવામાં આવી રહી છે.


બીજા બનાવમાં જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા ગીતાબેન પાલાભાઇ પરમાર (ઉ.વ.39) નામના મહિલા સમાણા એરફોર્સ રડારમાં બિલ્ડીંગના બાંધકામે મજુરી કામ કરતા હતા, ગત તા. 29ના રોજ બીજા માળેથી પગ લપસતા નીચે પડી જતા તેણીને શરીર અને હાથમાં ફ્રેકચર તથા વાંસા અને કમરના ભાગે ઇજાઓ પહોચી હતી, દરમ્યાન સારવારમાં મૃત્યુ નિપજયુ હતું. આ અંગે પાલા લાખાભાઇ પરમાર દ્વારા ગઇકાલે શેઠવડાળા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.


જ્યારે જામનગર નજીક મીઠોઇ ગામના પાટીયે બસ સ્ટોપમાંથી એક અજાણ્યા પુષનો મૃતદેહ મળી આવ્યો હતો, ગઇકાલે બપોરથી સાંજના સમય દરમ્યાન આશરે 35 થી 40 વર્ષના એક અજાણ્યા પુષ કોઇપણ કારણસર મૃત્યુ પામ્યા હતા, આ અંગે સિઘ્ધરાજસિંહ જાડેજાએ મેઘપર પોલીસમાં જાણ કરતા પોલીસ દ્વારા પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application