ખોડિયારપરામાં વૃધ્ધાએ ઝેરી પાઉડર પી જીવન ટૂંકાવી લીધુ

  • January 05, 2024 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા ખોડીયારપરામાં રહેતા વૃધ્ધાએ ઘઉંમા નાખવાનો ઝેરી પાઉડર પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. વૃધ્ધાન માનસિક બીમારીથી પીડાતા હોય તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલ રોડ પર આવેલા ખોડીયારપરા શેરી નં.૪ માં રહેતા હલીમાબેન યુનુસભાઇ મીનીવાડીયા(ઉ.વ ૬૦) નામના વૃધ્ધાએ ગઇકાલે બપોરના સમયે પોતાના ઘરે ઘઉંમા નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો.જે અંગે પરિવારજનોને જાણ થયા બાદ તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.બનાવને લઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કર્યા બાદ માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે વૃધ્ધાના પુત્ર ઇમરાનભાઇએ જણાવ્યું હતું કે, તેઓ બે ભાઇ અને બહેન છે.તેમના પિતા યુનુસભાઇ છેલ્લા ઘણાં સમયથી ચાલી ન શકતા હોય પથારીવસ છે.જયારે તેમના માતા હલીમાબેન પણ છેલ્લા ઘણાં સમયથી માનસિક બીમારીથી પીડાતા હતાં.જેથી તેનાથી કંટાળી જઇ તેમણે આ પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે.આ અંગે પોલીસે જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application