રાજકોટની યુવતીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવ્યા બાબતે બે સાધુ, હોસ્ટેલ સંચાલક વગરે ત્રણ સામે ગુનો નોંધાયો છે
ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે ગુરુકુળમાં યુવતી પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં નાસતા ફરતા સાધુ ધર્મસ્વરૂપદાસ ગુરુ નારાયણ સ્વરૂપદાસ આગોતરા જામીન અરજી ધોરાજી અદાલતે ફગાવી દીધી છે.
વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં રહેતી અને પ્રાઈવેટ નોકરી કરતી 30 વર્ષિય યુવતી સાથે ઉપલેટાના ખીરસરા ઈંટીયા ગામે આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના ધરમસ્વરૂપદાસ સ્વામીએ મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી અવારનવાર હવસનો શિકાર બનાવ્યા અંગેની ભાયાવદર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં મહિલાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સ્વામી થકી તેને ગર્ભ રહી જતાં હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયા સાથે પ્રેગનન્સી કિટ અને ગર્ભપાતની દવાઓ મોકલાવી ગર્ભપાત કરાવ્યો હતો. તેમજ સમગ્ર બનાવમાં નારાયણસ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરીયા અને ધર્મસ્વરૂપદાસ સ્વામીએ કોઇને જાણ નહીં ક૨વા ધમકીઓ આપી હતી. તપાસનીશની ટીમ દ્વારા સ્વામી ધર્મસ્વરૂપદાસને શોધવા પીપલાણા વંથલી, રાપર, ભુજ, હળવદ અને ભાયાવદર તપાસ કરતા સ્વામી મળી આવેલ નથી. તેમજ સૂત્રધાર ધોરણ ધર્મસ્વરૂપ ગુરુ શ્રી નારાયણ સ્વરૂપ સ્વામીએ પોલીસે ધરપકડની દહેશતથી આગોતરા જામીન અરજી કરી હતી.
આગોતરા જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બચાવ પક્ષ દ્વારા 'ફરિયાદ ખોટી છે, ગુરુકુળનો કબજો લેવા માટે કાવતરાના ભાગરૂપે કરવામાં આવેલી છે. ધર્મની મર્યાદાથી ગુરુકુળમાં સંતો મહિલા કે મહિલાના પડછાયાથી પણ દૂર રહેતા હોય છે, તેમજ દલીલને ખાતર માની લેવામાં આવે તો સહમતીથી બંધાયેલ શરીર સંભોગનો કિસ્સો છે. આરોપીના જામીન આપવા પાત્ર કેસ છે' તેવી રજૂઆતો કરાઈ હતી. જ્યારે સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી કે સમગ્ર ફરિયાદને વંચાણે લેતા સ્વામી તરફથી ભોગ બનનારને પોતે પતિ છે તેવો વિશ્વાસ આપી અને એક રાતમાં પાંચ વખત શરીર સંબંધો બાંધેલા છે, પોલીસ સમક્ષ ભોગ બનનારે રજૂ કરેલી વીડિયો ક્લિપ જોતા શરીર સંબંધ બાંધેલ હોય તે પ્રથમ દર્શનીય રીતે પુરવાર છે. વિશેષમાં સાધુ તરીકે સમાજ પર એક વિશેષ છાપ હોય છે તેમણે સંસારનો ત્યાગ કર્યો છે તેમ છતાં આવું કૃત્ય કરેલું છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લઇ અને આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં, સમાજ પર વિપરીત અસર પડે અને કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટે ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પણ આરોપીના આગોતરા જામીન રદ થવા જરૂરી છે. સ્વામીના કૃત્યથી ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્યને પણ અસર થઈ છે. સંસારનો ત્યાગ કરી અને સંન્યાસ ધારણ કરેલો છે. બંને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના એડિશનલ સેશન્સ જજ હાજીઅલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપી સાધુ ધર્મસ્વરૂપદાસની આગોતરા જામીન અરજી રદ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech