ખંભાળિયા તાલુકાના હંસ્થલ ગામના વાડી વિસ્તારમાં રહેતી અને મૂળ પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાની વિલાસબેન તખતભાઈ નાયકા નામની 17 વર્ષની તરુણીએ તારીખ 17 મીના રોજ પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લેતા તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતકને તેમના ઘરે આવવું હોય, પરંતુ તેણીના પિતાએ આવવાની ના કહેતા તે બાબતે મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હોવાનું મૃતકના પિતા તખતભાઈ બકાભાઈ છગનભાઈ નાયકાએ અહીંની પોલીસમાં જાહેર કર્યું છે.
ખંભાળિયામાંથી પરપ્રાંતિય સગીરાનું અપહરણ
ખંભાળિયા તાલુકાના તથીયા ગામના વાડી વિસ્તારમાં રહી અને મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના વતની એવા એક પરિવારની સગીર વયની પુત્રીને મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના ગધવાની વિસ્તારમાં રહેતો મુકેશ વાલસિંગ ભાભર નામનો શખ્સ સગીરાને લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઇરાદાથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ અહીંના પોલીસ મથકમાં નોંધાવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 363, 366 તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅગ્રણી મીડિયા હાઉસની સાથે જોડાયેલા જૂથો પર ઇન્કમટેક્સના મોટાપાયે દરોડા
May 14, 2025 11:09 AMજામનગરમાંથી સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનારને ૧૦ વર્ષની સજા
May 14, 2025 11:06 AMજામનગર જિલ્લાના ચાર ટીડીઓની બદલી
May 14, 2025 11:04 AMસુપર કોમ્પ્યુટરે જણાવ્યું: પૃથ્વી પર એક અબજ સુધી જ જીવનની શક્યતા
May 14, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech