જામનગરમાં કેદીની બાકીની સજા માફ કરી જેલ મુક્ત કરાયા

  • February 02, 2024 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરનાં પાકા કામનાં એક કેદીની બાકીની  સજા માફ કરીને તેમને મુક્ત કરવા આવ્યા હતા.
આજીવન કેદની સજા પામેલા જે કદી એ  ૧૪ વર્ષ પુર્ણ કરેલ હોઈ અને જેલમાં સારી વર્તણુક ધરાવતા હોય તેવા  કેદીઓને વહેલી તકે  માફી મળે તે  માટેના હકારાત્મક પ્રયત્નોનો થકી તા. ૦૧-૦૨-૨૦૨૪ના રોજ ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ના આદેશોનુસાર  જામનગર જીલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામ નાં કેદી  કેશુપુરી મોહનપુરી ગોસાઈ, (ઉમર વર્ષ ૫૯)ને સી.આર.પી.સી-૪૩૨ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરતાં આ મજકુર કેદીને શરતો આધિન જેલ મુકત કરવામાં આવ્યા છે.
તેમજ તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડીંગ કરવામાં આવ્યા હતા  તથા તેઓને ફુલહાર કરી મોં મીંઠુ કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોતાની પોસ્ટની પાસબુક આપી સમાજમાં પુન:સ્થાપનની શુભેચ્છાઓ પાઠવી જેલ મુક્ત કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application