આઠ માળિયા આવાસમાં મોડી રાત્રે બે શખ્સોએ છરી વડે હુમલો કરી ઢીમ ઢાળી દેવાયું : હત્યાના બનાવમાં મૃતકની પત્નીની પણ શંકાસ્પદ ભૂમિકા: પોલીસ દ્વારા સઘન તપાસ
જામનગરમાં ખોડમીલના ઢાળીયા નજીક આવેલા વીર સાવરકર આવાસમાં આઠમાળના બિલ્ડિંગના ચોથા માળે રહેતા એક યુવાન પર મોડી રાત્રે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવામાં આવી હતી, જેમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. અને બે શખ્સોએ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જ્યારે મૃતકની પત્નીની પણ આ બનાવમાં શંકાસ્પદ ભૂમિકા હોવાથી પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
જામનગરમાં ધરારનગર નજીક વીર સાવરકર આવાસ ના અઠમાળીયા બિલ્ડિંગના ચોથા માળે ભાડાના ફ્લેટમાં રહેતા ઇકબાલભાઈ ગનીભાઈ કુરેશી નામના 35 વર્ષના યુવાન પર ગઈ રાત્રે 12.30 વાગ્યાના અરસામાં બે શખ્સોએ છરીના પાંચ જેટલા ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કરી દેતાં તેનું પોતાના ઘરમાં જ મૃત્યુ નિપજ્યું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવ અંગે મૃતકના ભાઈ ગુલામહુસૈન ગનીભાઈ કુરેશીએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જયારે બે શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ઈકબાલભાઈની પત્ની કરિશ્માબેન કે જેને ઈમ્તિયાઝ જોખિયા નામના શખ્સ સાથે અનૈતિક સંબંધો હતા, અને તેમાં પતિ આડખીલીપ હોવાથી તેનો કાંટો કાઢી નાખવા માટે આ હત્યા નીપજાવાઈ હોવાનું પોલીસને જણાવાયું છે.
મૃતક ના ભાઈ ગુલામહુસેન ની ફરિયાદ ના આધારે ઈમ્તિયાઝ બસીર ભાઈ જોખીયા અને તેના કિશન નામના સાગરીત સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે. સાથોસાથ મૃતક ની પત્ની કરીશમાંને પણ આ હત્યાના બનાવમાં શંકાના દાયરામાં રાખી છે, અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
મૃતક ઇકબાલ ડ્રાઇવિંગ કરતો હતો, અને તેના કરિશ્મા સાથે લગ્ન થયા પછી તેને ત્રણ સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. મુતકની પત્ની આશરે પાંચેક માસથી નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી હતી દરમ્યાનમાં ગઈ રાત્રે અચાનક તેણી પતિ ઈકબાલના ઘેર મોડી રાતે આવી હતી, ત્યારબાદ થોડી વારમાં જ આરોપી ઈમ્તિયાઝ અને તેનો સાગરીત કિશન આવી પહોંચ્યા હતા, અને ઇકબાલ પર છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ હતું. મોડી રાત્રીના બનાવ બહાર આવતા પોલીસ ટુકડી હોસ્પીટલ અને ઘટના સ્થળે દોડી ગઇ હતી, હોસ્પીટલ ખાતે ટોળા એકત્ર થયા હતા અને આરોપીને પકડી પાડવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMઉતરપ્રદેશના હાથરસ નજીક સિકંદરામાં ભોલેબબના સત્સંગ દરમિયાન ભાગદોડમાં 27 લોકોના મોત
July 02, 2024 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech