જામનગરમાં દારુનો ધંધાર્થી પાસાના પાંજરે પુરાયો

  • April 21, 2023 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબીએ વોરન્ટની બજવણી કરી વડોદરા જેલમાં ધકેલ્યો

જામનગરમાં પ્રોહીબીશનના કેશમાં સંડોવાયેલા અને માથાભારે ઇસમો સામે ગત મહિનાઓમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, દરમ્યાનમાં તાજેતરમાં બે શખ્સ સામે પાસા કર્યા બાદ વધુ એક દારુનો ધંધાર્થી પાસાના પાંજરે પુરાયો છે, નવાગામ ઘેડના શખ્સને એલસીબીએ અટકાયત કરી વડોદરા જેલમાં મોકલી આપ્યો છે.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહી બુટલેગર તેમજ અસામાજીક પ્રવૃતી આચરનારા શખ્સો પર પાસા દરખાસ્ત તૈયાર કરવા એલસીબીને સુચના કરવામાં આવી હતી, તેમજ જામનગર શહેરના ડીવાયએસપી વરુણ વસાવાએ જામનગર સીટી-બી પીઆઇ એચ.પી.ઝાલા, પીએસઆઇ ડી.એસ. વાઢેરને સુચના કરેલ જે અનુસંધાને પાસા દરખાસ્ત તૈયાર કરી એસપી મારફતે જીલ્લા મેજી. ડી.એ. શાહને મોકલવામાં આવી હતી, દરમ્યાનમાં જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા નવાગામ ઘેડ જાળીવાળા કુવા પાસે રહેતા ભાવેશ કાંતીલાલ ગોહીલ જેની સામે પ્રોહીબીશનના ગુના નોંધાયેલા હોય આથી તેની સામે પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો.
પાસા વોરન્ટની બજવણી એલસીબી પીઆઇ જે.વી. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી હતી અને પ્રોહી કેસમાં સંડોવાયેલ ભાવેશ ગોહીલને વડોદરા જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application