જામનગરમાં ૭૨ વર્ષીય બુઝુર્ગની માનસિક બીમારીથી કંટાળી મોતની છલાંગ

  • May 17, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરજી જ્ઞાતિના ૭૨ વર્ષના બુઝુર્ગે ડિપ્રેશનમાં આવી જઈ બિલ્ડીંગના દસમાં માળેથી નીચે પડતું મૂકી દીધું


જામનગર માં હરિયા કોલેજ રોડ પર શાંતિ હાર્મોની મા રહેતા ૭૨ વર્ષ ના બુઝુર્ગ કે જેઓએ પોતાની માનસિક બીમારીના કારણે ડિપ્રેશનમાં આવી જઈ દસમા માળેથી છલાંગ લગાવી દેતાં તેઓનું ઘટના સ્થળેજ મૃત્યુ નિપજ્યું છે.



આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રોજી પેટ્રોલ પંપ ની સામે આવેલા શાંતિ હાર્મોની બિલ્ડીંગના બી. વિભાગમાં ૧૦૦૩ નંબરના ફ્લેટમાં રહેતા બીપીનભાઈ ડાયાભાઈ પીઠડીયા નામના ૭૨ વર્ષના દરજી જ્ઞાતિના બુઝુર્ગે દસમાં માળેથી નીચે પડતું મૂકી દેતાં તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.


આ બનાવ અંગે મૃતક ના પુત્ર કલ્પેશભાઈ બીપીનભાઈ પીઠડીયા એ પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application