ગોંડલના જામવાડીમાં પત્ની સો ઝઘડો તાં પતિનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • April 05, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના જામવાડીમાં રહેતા યુવાને પત્ની સો પૈસા બાબતે બોલાચાલી તા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જ્યારે રાજકોટમાં રહેતા બિહાર યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના જામવાડીમાં રહેતા અને અહીં આવેલી ખાનગી કંપનીમાં મજૂરી કામ કરનાર નનકુભાઈ યોગીન્દ્રભાઈ બૈઠા(ઉ.વ ૪૦) નામના આધેડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું છે. મૃતકના પત્ની સંજુદેવીએ જણાવ્યા મુજબ,કે છેલ્લા ઘણા દિવસોી પતિ કામ કરતા ન હતા અને પત્નીની કમાણીનો હિસાબ માંગ્યો ત્યારે તેણીએ બધી જ કમાણી પોતાના મૂળ પ્રાંતમાં મોકલી દીધી હોવાનું જણાવ્યું હતું.જે વાતનું માઠું લાગી આવતા નાનકુભાઈએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. મૃતક મૂળ બિહારના વતની છે. મૃતકને સંતાનમાં બે પુત્રી ત્રણ પુત્રો છે. અને તેઓ બે ભાઈ માં નાના છે.
જ્યારે અન્ય એક બનાવમાં કોઠારીયા ફાટક પાસે સીતારામ સોસાયટી ૨૫ વારીયામાં રહેતા સંતોષ સિવાયભાઈ પાસવાન(ઉ.વ ૪૦) નામના બિહારી યુવાને રાત્રિના લાકડાની લાકડાની આડીમાં સાડી વડે ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. યુવાન બે ભાઈ ચાર બહેનના પરિવારમાં વચેટ હતો તેને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી હોવાનું અને તે કારખાનામાં મજૂરીકામ કરતો હોવાનું માલુમ પડ્યું છે. યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું હતું તે જાણી શકાયુ ની.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application