ભાણવડ તાલુકામાં ધાર્મિક સ્થાનકના દબાણો દિન ૧૫માં દૂર કરવા જોગ

  • March 03, 2025 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના ધાર્મિક સ્થાનકના વહિવટદાર/પ્રમુખ / ટ્રસ્ટી/સંચાલકને આથી જણાવવાનું કે, નામ.સુપ્રિમકોર્ટ સમક્ષની દાખલ થયેલ એસ.એલ.પી. નં.૮૫૧૯/૨૦૦૬ તથા નામ.હાઈકોર્ટ સમક્ષની SCA No.9686/2006 અન્વયે રાજ્યમાં જાહેર સ્થળો/રોડ/રસ્તા/જગ્યાઓ પરના ગેરકાયદેસર ધાર્મિક દબાણો દુર કરવા અંગે નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુચન કરવામાં આવેલ છે.


જેથી ભાણવડ તાલુકામાં સરકારી જમીન પર આવેલ ધાર્મિક સ્થાનકના વહિવટદાર/પ્રમુખ/ ટ્રસ્ટી/ સંચાલકને આથી જણાવવાનું કે, આપના હસ્તકના ધાર્મિક સ્થાનક વાળી સરકારી જમીનમાંથી સદરહુ અનઅધિકૃત ધાર્મિક દબાણ સ્વખર્ચ દિન-૧૫ માં દુર કરી સરકારી જમીનનો કબજો સોંપી આપશો અન્યથા ઉકત સવાલ વાળી જમીનમાં વહિવટદાર/પ્રમુખ/ ટ્રસ્ટી/ સંચાલક દ્વારા સરકારની પુર્વમંજુરી વગર સરકારી જમીનનો અનધિકૃત રીતે કબ્જો કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે. જે બાબતની નોંધ લેશો તેમ મામલતદાર ભાણવડની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application