બગસરામાં સગપણ ન તાં સંજયનો ફાંસો ખાઈ આપઘાત

  • April 30, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરા અને દામનગરમાં બે અપમૃત્યુના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. સગપણ તું ન હોવાી બગસરાના યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે જયારે દામનગરમાં અઠવાડિયા પહેલા ગળાટૂંપો ખાઈ લેતા સારવારમાં રહેલી યુવતિએ દમ તોડી દીધો હતો.
​​​​​​​
પ્રાપ્ત વિગત મુજબ બગસરાના નવા જીનપરા વિસ્તારમાં રહેતો સંજય લાલજીભાઇ ડુંબાળીયા (ઉ.વ.૨૫) નામના યુવકે મકાનમા આવેલ છતના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં હોસ્પિટલએ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. 
બનાવની જાણ બગસરા પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હા ધરી હતી. પોલીસની પ્રામિક તપાસમાં મૃતક સંજયને ઘણા સમયી લગ્ન કરવા હોઈ પરંતુ લગ્ન માટે યોગ્ય પાત્ર મળતું ન હોવાી આ બાબતનું લાગી આવતા પગલું ભરી લીધું હતું.
બીજા બનાવમાં દામનગરમાં સીતારામનગર, પ્રેમગુરૂ આશ્રમવાળી શેરીમાં રહેતી રૂચિતા વિનુભાઇ ડોડીયા (ઉ.વ.૧૮) નામની યુવતિએ ગત તા.૨૩/૪ના વહેલી સવારે પોતાના ઘરે હતી ત્યારે રૂમમાં પંખા સો ચુંદડીનો એક છેડો બાંધી અને બીજો છેડો પોતાના ગળામાં બાંધી ફાંસો ખાઈ લેતા પરિવારજનો જોઈ જતા તાત્કાલિક દામનગર સરકારી દવાખાને બાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ગત રોજ ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. બનાવની જાણ દામનગર પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પુત્રીએ ક્યાં કારણોસર પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ જાણતા ન હોવાી પોલીસે તપાસ યાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application