"મારું પરિણામ સુધારો નહીંતર હું આત્મહત્યા કરી લઈશ", ઓછા માર્કસ આવતા વિદ્યાર્થીનો પરીક્ષા નિયામક અને કુલપતિને મેસેજ 

  • September 15, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના એક વિદ્યાર્થીએ પરીક્ષા નિયામક અને કુલપતિને એક એવો મેસેજ કર્યો કે તેઓ પણ ચોંકી ગયા. અપેક્ષા મુજબના માર્કસ ન મળતા વિદ્યાર્થીઓ પરીક્ષા નિયામક અને ફુલપતિને મેસેજ કરીને કહ્યું, "મારું પરિણામ સુધારી આપો નહિતર હું આત્મહત્યા કરી લઈશ."   


આત્મહત્યાની ધમકી આપનાર આ વિદ્યાર્થી અમરેલીના મોટા લીલીયા ગામની રામનાથ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરે છે. આર્ટસમાં ભણતો વિદ્યાર્થી અગાઉ પરીક્ષામાં નાપાસ થયો હતો. ત્યારે રીપીટર ની પરીક્ષા બાદમાં લેવામાં આવી હતી. જેમાં ધાર્યા કરતા ઓછા માર્કસ મળતા આ પ્રકારનો મેસેજ વિદ્યાર્થીએ કર્યો હતો. આત્મહત્યાની ધમકી સિવાય વિદ્યાર્થીએ એવું પણ કહ્યું હતું કે, "હું પોલીસ કમિશનર, કલેકટર, નામદાર કોર્ટને પણ આત્મવિલોપન માટે અરજી કરવાનો છું." બનાવને લઈને કુલપતિની સૂચનાથી પરીક્ષાની આમ કે યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application