જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને મોરબીમાં મહેશ હોટલ – ઠાકર લોજનો ધંધો કરતા જયેશ ભુપતભાઈ ઠાકરે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ - ૧૩૮ અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલા હતો.
આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને ૧ વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ ૬,૪૫,૦૦૦ નો દંડ તેમજ આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ. પટેલ, મણીલાલ જી. કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ધારાસભ્ય પોતાનાજ વોર્ડમાં 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે પહોંચ્યા
April 25, 2025 05:42 PMપહેલગામમાં આંતકી હુમલા બાદ સૌરાષ્ટ્રના દરીયાઈ પટ્ટીની સુરક્ષા સર્તક
April 25, 2025 05:37 PMજ્યારે ભારત પાકિસ્તાનને ઘેરી લેશે ત્યારે ક્યાં મુસ્લિમ દેશોનો મળશે સાથ?
April 25, 2025 05:36 PMઆતંકી હુમલામાં ઇજા પામેલા વિનુભાઈ ડાભી સહિત ૧૨ લોકો પરત ફર્યા
April 25, 2025 05:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech