વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ કર્યો છે. જેમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ.પટેલ અને વિનોદ રાવ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.
વિગતે વાત કરવામાં આવે તો આમાંથી એક અધિકારી નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે બીજા અધિકારી શિક્ષણ સચિવ તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી સરકારે કટિબદ્ધતા બતાવી હતી. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર કટિબધ હોવાનું એડવોકેટ જનરલે નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા વખાણવા લાયક હુકમ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં થોડા મહિના પહેલા એક ગોઝારી દુર્ઘટના બની હતી. તેમાં કેટલાય બાળકોના અકાળે મોત થયા હતા. તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. અત્યારે વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech