રાજ્યમાં ખેડૂતો દ્વારા પૂરતી વીજળી મળી રહે તે માટે સતત સરકારને માગ કરવામાં આવી રહી છે. ત્યારે આ માગને ધ્યાને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય આજે કર્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદરમાં ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે રાજ્યમાં અનેક ગામોમાં ખેડૂતોને પૂરતો વીજ પૂરવઠો મળતો ન હોવાની પણ ફરિયાદો સામે આવે છે. ત્યારે ખેડૂતોની માગના આધારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં સિંચાઇ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પહેલા અપાતી હતી 8 કલાક વીજળી
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય પ્રમાણે રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં હવેથી 10 કલાક વીજળીની ફાળવણી કરાઈ છે. મહત્વનું છે કે આ પહેલા ખેડૂતોને સિંચાઈ માટે માત્ર 8 કલાક વીજળી આપવામાં આવતી હતી. જોકે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે, વીજળી આપવાના કલાકોમાં વધારો કરવામાં આવે. જેને ધ્યાને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હવેથી ખેડૂતોને 2 કલાક વધુ વીજળી એટલે કે 10 કલાક વીજળી મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech