અકળ કારણોસર દુધિયા ગામના પ્રૌઢે ઝેરી પાઉડર ખાઈ લેતા મૃત્યુ
ભાણવડ તાબેના કાટકોલા ગામના વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ ડાંગર નામના 23 વર્ષના યુવાન ગઈકાલે રવિવારે પોતાની વાડીએ પાણીની ટાંકી ભરવા માટે કુવા પાસે મોટર ચાલુ કરવા જતા અકસ્માતે તેમનો પગ લપસી ગયો હતો. જેના કારણે તે કૂવામાં પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા સાથે કુવામાં ડૂબી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ગોવિંદભાઈ જેતસીભાઈ ડાંગર (ઉ.વ. 45)એ ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
જયારે કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામની સીમમાં રહેતા પાલાભાઈ વજશીભાઈ કંડોરીયા નામના 55 વર્ષના આહિર પ્રૌઢે ગત તારીખ 31 માર્ચના રોજ પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણસર પોતાના હાથે ઘઉમાં નાખવાનો ઝેરી પાઉડર ખાઈ લેતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ પરબતભાઈ વજશીભાઈ કંડોરિયા (ઉ.વ. 52) એ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech