શું ક્યારેય વિચાર્યું છે કે જો એક મહિના સુધી ડુંગળી અને લસણથી સંપૂર્ણપણે દૂર રહેશો તો શરીરમાં કયા ફેરફારો થશે? આપણામાંથી મોટાભાગના લોકો રોજિંદા ખોરાકમાં ડુંગળી અને લસણનો ઉપયોગ કરે છે પરંતુ કેટલાક લોકો ધાર્મિક આસ્થા અથવા સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર તેનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળે છે.
ઘણા લોકો માને છે કે ડુંગળી અને લસણ છોડવાથી શરીર અને મન શુદ્ધ અને શાંત રહે છે, જ્યારે કેટલાક લોકો કહે છે કે તે પાચન અને રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. ત્યારે વાસ્તવિકતા શું છે? શું ડુંગળી અને લસણ છોડવાથી સ્વાસ્થ્ય પર ખરેખર કોઈ મોટી અસર પડે છે કે તે માત્ર કહેવાની વાતો છે. જાણો શું ફેર પડે ડુંગળી-લસણ ન ખાવાથી.
શરીરની ગરમી વધી શકે છે
લસણ અને ડુંગળીમાં કૂલિંગ ઈફેક્ટ હોય છે એટલે કે તે શરીરની ગરમીને નિયંત્રિત કરે છે. જો અચાનક તેને ઉપયોગમાં લેવાનું બંધ કરી દો છો, તો શરીરમાં ગરમી વધી શકે છે, જેના કારણે માથાનો દુખાવો, મોઢામાં ચાંદા અને ત્વચા પર ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
શું કરવું જોઈએ?
શરીરની ગરમીને બેલેન્સ કરવા માટે આહારમાં ફુદીનો, દહીં અને વરિયાળીનો સમાવેશ કરી શકો છો.
પાચન સમસ્યાઓ
લસણ અને ડુંગળીમાં કુદરતી એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પાચનમાં સુધારો કરવામાં અને ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે. આને છોડી દેવાથી, કેટલાક લોકોને પેટનું ફૂલવું અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
શું કરવું?
પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે આદુ, જીરું પાણી અને ત્રિફળાને આહારનો ભાગ બનાવી શકો છો.
હૃદયના સ્વાસ્થ્ય પર અસર
લસણને કુદરતી રીતે લોહી પાતળું કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અને હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. તેને છોડી દેવાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ થોડું વધી શકે છે.
શું કરવું?
હૃદયના સ્વાસ્થ્યને સારું રાખવા માટે આહારમાં ઓમેગા-3 ફેટી એસિડ (અળસીના બીજ, અખરોટ, માછલી) અને લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરી શકો છો.
બોડી ડિટોક્સ પર અસર
લસણ અને ડુંગળી ડિટોક્સિફાઇંગ ફૂડ છે, જે શરીરમાંથી હાનિકારક ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. અચાનક તેમને છોડી દેવાથી શરીરમાં ઝેરી તત્વો એકઠા થઈ શકે છે, જેનાથી થાક, સુસ્તી અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.
ઉપાય
ડિટોક્સિફિકેશન માટે ડાયટમાં લીંબુ પાણી, ગ્રીન ટી અને નાળિયેર પાણીનો સમાવેશ કરી શકો છો.
રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે
લસણને કુદરતી એન્ટિબાયોટિક કહેવામાં આવે છે, જે શરીરને ચેપ અને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે. ડુંગળીમાં પણ વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આનો ત્યાગ કરવાથી રોગો સામે લડવાની ક્ષમતા થોડી નબળી પડી શકે છે.
ઉપાય
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે આહારમાં આમળા, હળદરવાળું દૂધ અને તાજા શાકભાજીનો સમાવેશ કરો.
મોંઢામાંથી આવતી દુર્ગંધથી રાહત
લસણ અને ડુંગળી ખાધા પછી, મોઢામાંથી તીવ્ર ગંધ આવે છે કારણ કે તેમાં સલ્ફર સંયોજનો હોય છે. જો આ ખાવાનું બંધ કરી દો છો, તો મોંની દુર્ગંધની સમસ્યા ઓછી થઈ શકે છે, જેના કારણે મોઢામાં વધુ તાજગીનો અહેસાસ થાય છે.
જેમાં માઉથ ફ્રેશનર માટે વરિયાળી અને એલચીનો ઉપયોગ કરી શકો છો.
માનસિક શાંતિ વધી શકે છે
આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે ડુંગળી અને લસણ તામસિક ખોરાકની શ્રેણીમાં આવે છે, એટલે કે તે મનને અશાંત અને બેચેન બનાવી શકે છે. ઘણા લોકોને લાગે છે કે તેમને છોડી દેવાથી માનસિક શાંતિ વધે છે, ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બને છે અને તણાવ ઓછો થાય છે.
દિનચર્યામાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરો.
ડુંગળી અને લસણ છોડવું જોઈએ કે નહીં?
જો ધાર્મિક કે અંગત કારણોસર ડુંગળી અને લસણ છોડવા માંગતા હો તો આ માટે સંતુલિત આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરને બધા જરૂરી પોષક તત્વો મળે તે સુનિશ્ચિત કરવા માટે આહારમાં અન્ય સ્વસ્થ ખોરાકનો સમાવેશ કરો.
જો ફક્ત એવું વિચારીને છોડી રહ્યા છો કે તે સંપૂર્ણપણે હાનિકારક છે, તો જાણી લો કે એવું બિલકુલ નથી. ડુંગળી અને લસણના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા છે અને તેમને સંતુલિત માત્રામાં ખાવાથી સ્વાસ્થ્ય માટે હંમેશા સારું માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech