સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટે કયા અભ્યાસક્રમની કેટલી ફી વસૂલી શકાશે તેની સત્તાવાર જાહેરાત કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં કોઈ સરકારી કોલેજોમાં બેચલર ઓફ ડિઝાઇનિંગનો અભ્યાસક્રમ ચાલતો ન હોવાથી વિદ્યાર્થીઓને ન છૂટકે ખાનગી કોલેજોમાં પ્રવેશ લેવો પડે છે અને આવી ખાલી ખાનગી કોલેજોની વાર્ષિક ટ્યુશન ફી રુ. 2,25,000 અને દર વર્ષે પ્રોસેસિંગ ફી પેટે રુ. 25,000 વસૂલવાની યુનિવર્સિટી એ છૂટ આપી છે. આમ પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂપિયા અઢી લાખ લઈ શકાશે. ખાનગી કોલેજોને આપવામાં આવેલી આ છૂટમાં વિદ્યાર્થીનીઓને પણ કોઈ પ્રકારની રાહત નહીં મળે.
આવી જ સ્થિતિ બેચલર ઓફ આર્ટસ (ઇન્ટિરિયર ડિઝાઇન)ના અભ્યાસક્રમમાં છે. કોઈ સરકારી કોલેજમાં આવો અભ્યાસક્રમ ચાલતો નથી અને ખાનગી કોલેજોને આવા અભ્યાસક્રમ માટે રૂપિયા 33,000 ની ટ્યુશન ફી લેવા યુનિવર્સિટી એ છૂટ આપી છે.
અન્ય અભ્યાસક્રમો અને તેના ફીના ધોરણ બાબતની વાત કરીએ તો બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સરકારી કોલેજોમાં માત્ર રૂપિયા બારસો ટ્યુશન ફી છે. વિદ્યાર્થીનીઓને તો તેમાં સંપૂર્ણ મુક્તિ છે.જ્યારે ખાનગી કોલેજોને પ્રતિ સેમેસ્ટર દીઠ રૂપિયા 22500 વસૂલવા માટેની છૂટ મળી છે.
બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અને બેચલર ઓફ સાયન્સ (આઈટી )ના કોઈ અભ્યાસક્રમ સરકારી કોલેજોમાં નથી અને ખાનગી કોલેજોમાં આ માટે રુ. 15,000 ની ટ્યુશન ફી પ્રત્યેક સેમેસ્ટર વાઈઝ મંજૂર કરવામાં આવી છે. બેચલર ઓફ સોશિયલ વર્કના અભ્યાસક્રમમાં પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને રૂપિયા 15,000 ની ફી વસુલવા માટે છૂટ મળી છે.
કાયદા વિદ્યા શાખામાં બેચલર ઓફ લો (એલએલબી) ના અભ્યાસક્રમ માટે સરકારી કોલેજમાં રૂપિયા 1800 ટ્યુશન ફી છે. વિદ્યાર્થીની ઓને તો ફીમાં સંપૂર્ણ મુક્તિ છે જ્યારે ખાનગી લો કોલેજો ને રુ. 15,000 ફી વસૂલવાની છૂટ આપી છે. બીએ એલએલબી ઈન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ કોઈ સરકારી કોલેજમાં ભણાવતો નથી અને ખાનગી કોલેજોને રુ15,000 ની ટ્યુશન ફી લેવા છૂટ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech