બોખીરાની આવાસ યોજનાના ફ્લેટ બિસ્માર હાલતમાં ફેરવાયા છે.જો તેનું સમારકામ કરવામાં નહી આવે તો મોતનું તાંડવ રચાશે, મિશન સીટી યોજના હેઠળ પોરબંદરમાં ગરીબ અને જરીયાતમંદ પરિવારો માટે બોખીરા કુછડી રોડ પર ૨૪૪૮ ફ્લેટ્સ બનાવવામાં આવ્યા હતા અને એ બનતા હતા ત્યારથી જ વારંવાર ફરીયાદો ઉઠવા પામી હતી કે તેનું બાંધકામ ખુબ જ નબળું થઈ રહ્યું છે,પરંતુ તેમ છતાં સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા અને તેનું બાંધકામ થઈ ગયા બાદ ચાર વર્ષ સુધી લોકાર્પણ કરવામાં આવ્યુ ન હતુ એ દરમિયાન આ ફ્લેટ વધારે જર્જરીત બની ગયા હતા અને ત્યારબાદ તેની કટકે કટકે ફાળવણી કરવામાં આવી હતી. હાલમાં ત્યાં વિશાળ સંખ્યામાં પરિવારો વસવાટ કરી રહ્યા છે,પરંતુ મોટાભાગના ફ્લેટ્સની હાલત અત્યંત જર્જરિત છે અને અવારનવાર અલગ-અલગ બ્લોકમાં પોપડા ખરી રહ્યા છે.તેની દીવાલો પણ સંપુર્ણપણે જર્જરીત બની ગઈ છે અને મોટી તિરાડો દેખાઈ રહી છે. જરા સરખો ધરતીકંપનો આંચકો આવે તો પણ પત્તાના મહેલની માફક આ ઇમારતો ધરાસાઇ થઈ જાય તેવી પુરેપુરી શક્યતા છે.માટે અહીંયા કોઈ મોટી જાનહાની થાય તે પહેલા પોરબંદર નગરપાલિકાના તંત્રએ તમામ બિસ્માર ઇમારતોનો સર્વે કરાવીને પછી તેના સમારકામની કાર્યવાહી વહેલી તકે હાથ ધરાવી જરૂરી બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech