૧૦ યાત્રીઓનાં મોત: બસ ખાઈમાં ન પડી હોત તો આતંકીઓએ કોઈને જીવતા ન છોડ્યા હોત

  • June 10, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુના રિયાસીમાં આતંકવાદી હત્પમલામાં બચી ગયેલા અને વૈષ્ણોદેવી અને શિવખોડી ધામની મુલાકાત લેનારા પ્રવાસીઓની ભયાનક અિપરીક્ષા હતી. બસ પર થયેલા આતંકવાદી હત્પમલામાં બચી જવા માટે મુસાફરો બાબા અને મા વૈષ્ણો દેવીના આશીર્વાદનો ઉલ્લેખ કરી રહ્યા છે. શિવખોડીથી કટરા પરત ફરી રહેલી બસ પર આતંકીઓએ ઓચિંતો હત્પમલો કર્યેા હતો. બસ રિયાસી પહોંચી કે તરત જ આતંકવાદીઓ રસ્તાની વચ્ચે ઉભા થઈ ગયા અને ગોળીબાર શ કરી દીધો. આતંકવાદીઓની સંખ્યા ચાર આસપાસ હોવાનું કહેવાય છે. આતંકવાદીઓએ ડ્રાઈવરને ગોળી મારી દીધી અને પછી બસ નીચે ખાઈમાં પડી ગઈ. આ તમામ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે અલગ–અલગ જગ્યાએથી આવ્યા હતા. શિવખોડી ધામના દર્શન કરવા માટે બધા એક સાથે કટરા આવ્યા હતા. આ હત્પમલામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયા અને ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.


આ ઘટનામાં બચી ગયેલા ભાગ્યશાળી મુસાફરોના જણાવ્યા અનુસાર બસ ખાઈમાં પડી જવાથી અનેક મુસાફરોનો જીવ બચી ગયો હતો. જો બસ રસ્તા પર જ રહી હોત તો ગોળીઓ ચલાવી રહેલા આતંકવાદીઓ ભાગ્યે જ કોઈને જીવતા છોડા હોત. મુસાફરોના જણાવ્યા પ્રમાણે બસ નીચે ખાડામાં પડતાની સાથે જ ચીસાચીસ થઈ ગઈ હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ નીચે પડી રહેલી બસ પર અંધાધૂંધ ગોળીબાર કરતા રહ્યા. આટલું જ નહીં, યારે બસ નીચે ખાઈમાં પડી ગઈ હતી અને મુસાફરો ચીસો પાડી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓ થોડીવાર સુધી ગોળીઓ વરસાવતા રહ્યા હતા. સ્થળ પરથી મળેલા ખાલી કારતુસ પણ આ વાતની સાક્ષી પૂરે છે. આ હત્પમલામાં દસ મુસાફરોના મોત થયા છે. તેમાં બે બાળકો પણ છે જેમાંથી એક બે થી ત્રણ વર્ષનો છે. સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી પીડિતોને મદદ કરી હતી.
રિયાસીના એસએસપી મોહિતા શર્માએ જણાવ્યું હતું કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પરંતુ પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે આ તમામ ઉત્તર પ્રદેશના છે


એક આતંકીએ સૈન્ય જેવો પોશાક પહેરેલો હતો
જિલ્લા હોસ્પિટલમાં દાખલ ઉત્તર પ્રદેશના સંતોષ કુમારે કહ્યું, હત્પં બસ ડ્રાઇવરની બાજુમાં બેઠો હતો અને ગાઢ જંગલોમાંથી વાહન નીચે આવી રહ્યું હતું, ત્યારે મેં જોયું કે એક સૈન્યના માણસ જેવો પોશાક પહેરેલો હતો અને તેણે પોતાનો ચહેરો અને માથું કાળા કપડાથી ઢાંકેલું હતું. એક ઢંકાયેલો વ્યકિત બસની સામે આવ્યો અને અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યો. તેણે કહ્યું, ફાયરિંગ દરમિયાન ડ્રાઈવરને ગોળી વાગી અને બસ ખાઈમાં પડી ગઈ. બસમાં થોડી મિનિટો સુધી ગોળીબાર થયો હતો

આતંકીઓએ ૨૦ મિનિટ સુધી ગોળીબાર કર્યેા
આતંકવાદી હજમલામાં ઘાયલ યુપીના બલરામપુરના રહેવાસીએ જણાવ્યું કે શિવખોડીના દર્શન કર્યા બાદ અમે કટરા તરફ જઈ રહ્યા હતા. બસ યારે ઉપરથી નીચે આવી રહી હતી ત્યારે એક આતંકવાદીએ રસ્તાની વચ્ચેથી ગોળીબાર શ કરી દીધો હતો. ડ્રાઈવરને ગોળી વાગતાં બસ ખાઈમાં પડી ગઈ હતી. આતંકીઓએ લગભગ ૨૦ મિનિટ સુધી ગોળીબાર કર્યેા. ગોળીબાર બધં થયા બાદ પોલીસ આવી અને સ્થાનિક લોકોની મદદથી બચાવી લેવામાં આવી જેમણે સામેથી આતંકવાદીને ગોળીબાર કરતા જોયો હતો. બાકીના અહીં અને ત્યાંથી પણ ગોળીબાર કરી રહ્યા હતા. તેઓ ૫–૬ વખત ગોળીબાર કર્યા પછી બધં થઈ જતા અને પાંચ મિનિટ પછી ફરીથી ફાયરિંગ શરૂ કરતા


હુમલાખોરે લાલ મફલર અને માસ્ક પહેર્યા હતા

પ્રત્યક્ષદર્શીઓએ હુમલાની ભયાનક વિગતો શેર કરી. એક વ્યકિતએ જણાવ્યું કે કેવી રીતે બસ પર ૨૫ થી ૩૦ ગોળીઓ ચલાવવામાં આવી, જે પછી બસ ખાઈમાં પડી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેણે લાલ મફલર અને માસ્ક પહેરેલા હત્પમલાખોરને બસ પર ફાયરિંગ કરતા જોયો હતો. તેરાયથ હોસ્પિટલમાં દાખલ બનારસના એક ઘાયલ યાત્રીએ કહ્યું, અમે સાંજે ૪ વાગ્યે નીકળવાના હતા, પરંતુ બસ સાંજે ૫.૩૦ વાગ્યે નીકળી અને અચાનક બસ પર ગોળીબાર થયો


વૃક્ષો–પથ્થરોની પાછળ છૂપાઈને જીવ બચાવ્યો

ઈજાગ્રસ્ત મુસાફરોમાં નોઈડાના એક મુસાફરનો પણ સમાવેશ થાય છે. મુસાફરોના જણાવ્યા અનુસાર, યારે મુસાફરો બસમાંથી વિખેરાઈ ગયા અને અહીં–ત્યાં પડા, ત્યારે આતંકવાદીઓએ તેમને ગોળીઓથી નિશાન બનાવવાનું શ કયુ. કેટલાક મુસાફરોએ વૃક્ષો અને પથ્થરોની પાછળ છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. સિયાસીની જિલ્લા હોસ્પિટલમાં દાખલ એક ઘાયલ મુસાફરના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેને પીઠમાં ગોળી વાગી હતી. જો તે છુપાયો ન હોત તો બચી શકત નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application