મહારાષ્ટ્રની મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મેસેજ દ્વારા સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
મુંબઈના ટ્રાફિક કંટ્રોલ સેલને એક અજાણ્યા નંબર પરથી મેસેજ મળ્યો છે જેમાં લખ્યું છે કે, 'જો યોગી આદિત્યનાથ 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો અમે તેમને બાબા સિદ્દીકીની જેમ મારી નાખીશું.' આ મેસેજ ગઈકાલ સાંજે મળ્યો હતો, જેના પછી સુરક્ષા વ્યવસ્થા એલર્ટ પર છે. મુંબઈ પોલીસ હવે આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી કરવામાં વ્યસ્ત છે.
યોગી આદિત્યનાથને ઘણી વખત મળી છે ધમકીઓ
વર્ષ 2024માં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. યુપી પોલીસે અલગ-અલગ જગ્યાએથી ધમકી આપનારાઓની ધરપકડ કરી હતી. ક્યારેક ફેસબુક-એક્સ દ્વારા તો ક્યારેક પોલીસને મેસેજ દ્વારા આ ધમકીઓ મળી છે. ઉત્તર પ્રદેશ, મુંબઈ અને બિહારમાંથી ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમણે સોશિયલ મીડિયા દ્વારા સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી હતી.
બાબા સિદ્દીકીની દશેરાની રાત્રે હત્યા કરવામાં આવી હતી
એનસીપી નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ તેમના ધારાસભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ પાસે હતા ત્યારે ત્રણ હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈની ગેંગે લીધી હતી. ત્યારે બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને ઘણી ધમકીઓ પણ મળી હતી. બાબા સિદ્દીકી અને સલમાન ખાન સારા મિત્રો હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech