બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી નથી. આ દરમિયાન, પૂર્વ પીએમ શેખ હસીનાએ એક મોટો દાવો કર્યેા છે. એક ભાવુક વીડિયોમાં, શેખ હસીનાએ કહ્યું કે ગયા વર્ષે ૫ ઓગસ્ટના રોજ વિધાર્થીઓના નેતૃત્વ હેઠળના હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે ઢાકાથી ભાગી ગયા તેના થોડા સમય પહેલા જ તેમને અને તેમની બહેનને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.તેમના અવામી લીગ પક્ષ દ્રારા ફેસબુક પર પોસ્ટ કરાયેલા એક ભાવુક વિડીયોમાં, હસીનાએ કહ્યું કે ભગવાનની કૃપાથી જ તેઓ તેમના રાજકીય કારકિર્દીમાં અનેક હત્યાના પ્રયાસોમાંથી બચી ગયા. બાંગ્લાદેશથી ભાગી ગયા બાદ ભારતમાં રહેતી હસીનાએ કહ્યું, હત્પં અને મારી બહેન શેખ રેહાના બચી ગયા.જો અમે ૨૦–૨૫ મિનિટ મોડા પડા હોત, તો આપણી હત્યા થઈ હોત.તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે ભારત સરકારે શેખ હસીનાના વિઝાનો સમયગાળો લંબાવ્યો છે, ત્યારબાદ હાલ તેમના ભારતમાં રોકાણ અંગે કોઈ સમસ્યા રહેશે નહીં. બાંગ્લાદેશથી ભાગી ગયા બાદ, શેખ હસીના ભારતના હિંડન એરબેઝ પહોંચી, યાંથી તેમને દિલ્હીના એક સુરક્ષિત ઘરમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે ૨૩ ડિસેમ્બરે ભારત સરકારને શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી.યુનુસે વારંવાર શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે. બાંગ્લાદેશમાં શેખ હસીના વિદ્ધ અનેક ફોજદારી કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્ર્રીય કોર્ટમાં તેમની વિદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.એ વાત જાણીતી છે કે બાંગ્લાદેશમાં આ વર્ષે જાન્યુઆરીમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગે મોટી જીત મેળવી હતી. સંસદની ૩૦૦ બેઠકોમાંથી ૨૨૪ બેઠકો અવામી લીગે જીતી હતી. શેખ હસીના ૨૦૦૯ થી બાંગ્લાદેશના વડા પ્રધાન હતા. તેઓ સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદ સંભાળનાર પ્રથમ મહિલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech