ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં આજે રમાયેલા એલિમિનેટર મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધી છે. આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સેનો મુકાબલો રવિવારે અમદાવાદમાં પંજાબ કિંગ્સ સામે થશે.
આજની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 228 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. મુંબઈના બેટ્સમેનોએ આક્રમક રમત દાખવીને ગુજરાતના બોલરોને હંફાવ્યા હતા.
229 રનના પડકારજનક લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 208 રન જ બનાવી શકી હતી. ગુજરાતના બેટ્સમેનોએ પ્રયાસ કર્યો હતો, પરંતુ મુંબઈના બોલરોની ચુસ્ત બોલિંગ અને ફિલ્ડિંગ સામે તેઓ લક્ષ્ય સુધી પહોંચી શક્યા ન હતા. આ હાર સાથે ગુજરાત ટાઇટન્સ IPL 2025 માંથી બહાર થઈ છે.
હવે મુંબઈ ઇન્ડિયન્સનો આગામી મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, અને આ મેચના વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ફાઇનલમાં ટકરાશે. ક્રિકેટ ચાહકો આ હાઈ-વોલ્ટેજ મુકાબલાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્લેકઆઉટમાં પણ અડીખમ! સુરેન્દ્રનગરના નાગરિકોની શિસ્ત પ્રશંસનીય
May 31, 2025 10:37 PMસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech