IIM અમદાવાદના નવા ડિરેક્ટર પદે પ્રોફેસર ભરત ભાસ્કરનની વરણી

  • January 24, 2023 05:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

IIM અમદાવાદ દ્વારા નવા ડિરેક્ટરની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ડિરેક્ટર પદે પ્રોફેસર ભરત ભાસ્કરનની વરણી કરવામાં આવી છે. તેઓનો કાર્યકાળ આગામી 01 માર્ચથી શરૂ થશે. અને આગામી પાંચ વર્ષનો તેમનો કાર્યકાળ રહેશે.


મહત્વનું છે કે વર્તમાનમાં પ્રોફેસર એરોલ ડિસોઝાનો કાર્યકાળ છે. 31 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે. નવનિયુક્ત ડિરેક્ટર ભરત ભાસ્કરનનો કાર્યકાળ 01 માર્ચ 2023થી શરૂ થવા જઈ રહ્યો છે. જાણવા મળતી વિગત મુજબ હાલમાં પ્રોફેસર ભરત ભાસ્કર IIM લખનઉમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ સિસ્ટમ્સમાં પ્રોફેસર તરીકેની જવાબદારી અદા કરી રહ્યા છે. અને 01 માર્ચથી આ પદ સંભાળશે.વચગાળામાં બોર્ડ ઓફ ગવર્નર્સે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીના સમયગાળા માટે પ્રોફેસર અરિંદમ બેનર્જીને ડાયરેક્ટર-ઈન-ચાર્જ તરીકે નિયુક્ત કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application