રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ 9 માર્ચે દુબઈમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને પરાજય આપ્યો હતો. ટુર્નામેન્ટ ફાઇનલ પછી પ્રેઝન્ટેશન સમારોહ યોજાયો હતો. જેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના કોઈ અધિકારી હાજર નહોતા. એ પણ ત્યારે કે પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું સત્તાવાર યજમાન હતું. આવી સ્થિતિમાં, એ પ્રશ્ન ઉભો થયો હતો કે શું આઈસીસીએ જાણી જોઈને આવું કર્યું હતું? જેના જવાબ રૂપે જય શાહના નેતૃત્વ હેઠળના આઈસીસીએ પીસીબી અધિકારીઓની ગેરહાજરી અંગે સ્પષ્ટતા આપી છે.
આઈસીસીના પ્રવક્તાએ ખુલાસો કર્યો કે પીસીબી મેનેજમેન્ટ કમિટીના ચેરમેન અને યજમાન બોર્ડના નામાંકિત પ્રતિનિધિ મોહસીન નકવીને સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. પ્રવક્તાએ પુષ્ટિ કરી કે મોહસીન નકવી હાજર નહોતા અને ફાઇનલ માટે દુબઈ ગયા નહોતા. મંચ પર પાકિસ્તાની પ્રતિનિધિત્વના અભાવ અંગે થયેલી ટીકાનો જવાબ આપતા, આઈસીસી એ એવોર્ડ સમારોહ માટે તેના સ્થાપિત પ્રોટોકોલ પર ભાર મૂક્યો.
પ્રવક્તાએ જણાવ્યું કે આઈસીસી ફક્ત યજમાન બોર્ડના વડા - જેમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, અધ્યક્ષ અથવા સીઈઓને એવોર્ડ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપે છે. બોર્ડના અન્ય અધિકારીઓ, સ્થળ પર હાજર હોય કે ન હોય, સ્ટેજ પરની કાર્યવાહીનો ભાગ નથી બનતા. આઈસીસીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે આ પ્રોટોકોલનું પાલન બધી જ ટુર્નામેન્ટમાં સતત કરવામાં આવે છે અને તે ફક્ત ચેમ્પિયન્સ ટ્રોફી પૂરતું મર્યાદિત નથી. મંચ પર પીસીબી અધિકારીની ગેરહાજરી ફક્ત બોર્ડના નામાંકિત પ્રતિનિધિની ગેરહાજરીને કારણે હતી.
પીસીબી ચેરમેન મોહસીન નકવીએ આ અંગે કંઈ કહ્યું નથી. તેમણે ટુર્નામેન્ટના સફળ આયોજન માટે બધાની પ્રશંસા કરી. તેમણે એક્સ પર લખ્યું કે હું સમર્પિત પીસીબી ટીમ, સતર્ક કાયદા અમલીકરણ એજન્સીઓ, સહાયક પ્રાંતીય સરકારો, આદરણીય આઈસીસી અધિકારીઓ અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાનની યાત્રા કરનાર અદ્ભુત ક્રિકેટ ટીમોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. તમારી પ્રતિબદ્ધતા અને સામૂહિક પ્રયાસોએ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું સરળ સંચાલન સુનિશ્ચિત કર્યું, જેનાથી તે ભવ્ય સફળતામાં ફેરવાઈ ગઈ. પાકિસ્તાન આ વૈશ્વિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં ખૂબ ગર્વ અનુભવે છે અને તમારા યોગદાનથી આ ઘટના ખરેખર વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે એક ઐતિહાસિક ઘટના બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખ પટેલને મોટી રાહત, મોરબી જિલ્લામાં પ્રવેશની મંજૂરી
March 11, 2025 11:11 PMદિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટનો FIR નોંધવાનો આદેશ
March 11, 2025 09:28 PMભારત આવી રહ્યું છે એલોન મસ્કનું સ્ટારલિંક ઈન્ટરનેટ, સ્પેસX નો એરટેલ સાથે કરાર
March 11, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech