આ વર્ષે 17 અને 18 સપ્ટેમ્બરની વચ્ચે, ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના હજારો પેજર્સ અને વોકી-ટોકી પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 40 લોકો માયર્િ ગયા હતા અને 3,000 થી વધુ ઘાયલ થયા હતા. હિઝબોલ્લાહ લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો પેજર્સમાં માત્ર 30 મિનિટમાં બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે હિઝબોલ્લાહ લડવૈયાઓએ ઇઝરાયેલના રડારથી બચાવવા માટે આવા પૃષ્ઠોનો ઉપયોગ કર્યો હતો
જ્યારે હિઝબુલ્લાહ લડવૈયાઓ ઇઝરાયેલના રડારથી પોતાને બચાવવા માટે જીપીએસ, માઇક્રોફોન અને કેમેરા ન ધરાવતા પેજરનો ઉપયોગ કરી રહ્યા હતા. લેબનોનમાં પેજર હુમલાને લઈને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. તેણે પુષ્ટિ કરી કે તેણે જ સપ્ટેમ્બરમાં લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના અડ્ડા પર પેજર હુમલાને મંજૂરી આપી હતી, જેમાં લગભગ 40 આતંકવાદીઓ માયર્િ ગયા હતા અને 3,000 થી વધુને ઇજા પહોચી હતી. નેતન્યાહુના પ્રવક્તા ઓમર દોસ્તીએ જણાવ્યું હતું કે, નેતન્યાહુએ પુષ્ટિ કરી હતી કે તેણે લેબનોનમાં પેજર ઓપરેશનને લીલી ઝંડી આપી હતી ત્રયાર પછી આ હુમલો થયો હતો. નેતન્યાહૂએ એ પણ સ્વીકાર્યું હતું કે ઇઝરાયેલી સૈન્યએ સીધા આદેશો પ્રાપ્ત કયર્િ પછી, બેરૂતમાં ચોકસાઇપૂર્વક હુમલો કર્યો હતો સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ઈઝરાયેલે નેતન્યાહુને ટાંકીને કહ્યું કે, પેજર ઓપરેશન અને (હસન) નસરાલ્લાહનો ખાત્મો એ સંરક્ષણ સંસ્થાન અને રાજકીય ક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ માટે ચિંતાનો વિષય છે.જણાવી દઈએ કે આ વર્ષે 17 થી 18 સપ્ટેમ્બરની વચ્ચે ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો પેજર્સ અને વોકી-ટોકી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 40ના મોત થયા હતા જયારે3000થી વધુને ઇજા પહોચી હતી.
ઈરાને પણ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો
લેબનોનમાં ઈઝરાયલના ઓપરેશન અને હિઝબુલ્લાના વડાની હત્યા બાદ ઈરાને યહૂદી રાષ્ટ્ર પર જેમાં સૈન્ય મથકો સહિત તેના મુખ્ય વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ઈંછૠજ) અનુસાર, ઈરાને હુમલો કર્જેયો હતો જેમાં 400 થી વધુ અસ્ત્રોએ તેમના ટાર્ગેટને નિશાન બનાવ્યા હતા. જો કે, ઇઝરાયેલે ઇરાનના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે મોટાભાગની મિસાઇલો ઇઝરાયેલ અને યુએસ દ્વારા બનાવવામાં આવી હતી, નોંધનીય છે કે હમાસ દ્વારા ઇઝરાયેલ પર અભૂતપૂર્વ હુમલા બાદ મધ્ય પૂર્વમાં એક વર્ષથી વધુ સમયથી અશાંત સુરક્ષાની સ્થિતિ છે,જેમાં લગભગ 1,200 લોકો માયર્િ ગયા હતા અને 200 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ હુમલાએ ગાઝામાં યુદ્ધને વેગ આપ્યો, જેમાં 41,000 થી વધુ લોકો માયર્િ ગયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech