હું તો હથિયારો છોડી ગાંધીવાદી જ બની ગયો છું: યાસીન મલિક

  • October 05, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ - કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-યાસીનના પ્રમુખ યાસીન મલિકે દાવો કર્યો છે કે તેણે હથિયારોના બળનો ઉપયોગ કરીને વિરોધ કરવાની પદ્ધતિ છોડી દીધી છે અને ગાંધીવાદી પદ્ધતિ અપ્નાવી છે. તેણે જેકેએલએફ-વાય પરના પ્રતિબંધની સમીક્ષા કરતી યુએપીએ કોર્ટમાં સબમિટ કરેલા સોગંદનામામાં આ વાત કહી છે.
જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-યાસીન (જેકેએલએફ-વાય)ના અધ્યક્ષ યાસીન માલિકે જણાવ્યું હતું કે જેકેએલએફ-વાય એ સંયુક્ત સ્વતંત્ર કાશ્મીરની સ્થાપ્નાના તેના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે 1994 માં સશસ્ત્ર સંઘર્ષ છોડી દીધો હતો વિરોધની ગાંધીવાદી પદ્ધતિ અપ્નાવી છે.
ગયા મહિને યુએપીએ કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં યાસીન મલિકના એફિડેવિટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ જેકેએલએફ-વાયને ગેરકાયદેસર સંસ્થા તરીકે જાહેર કરવાના નિર્ણયને આગામી પાંચ વર્ષ માટે યથાવત રાખવામાં આવ્યો છે.અહેવાલ અનુસાર, યાસીન મલિકે પોતાના સોગંદનામામાં દાવો કર્યો છે કે અલગતાવાદીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલની શોધમાં કેન્દ્રમાં રાજકીય અને સરકારી અધિકારીઓ 1994થી તેમની સાથે જોડાયેલા છે.યાસીન મલિક 1990માં શ્રીનગરના રાવલપોરા વિસ્તારમાં ભારતીય વાયુસેનાના ચાર જવાનોની હત્યાનો મુખ્ય આરોપી છે. આ કેસમાં તેની ઓળખ પ્રાથમિક શૂટર તરીકે થઈ હતી.
યાસીન મલિકને પણ મે 2022માં આતંકવાદને નાણાં પૂરા પાડવાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.આ દરમિયાન, તેણે દાવો કર્યો હતો કે 90ના દાયકામાં વિવિધ સરકારી અધિકારીઓએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ વિવાદને વાતચીત દ્વારા ઉકેલશે.
આ સિવાય, જ્યારે તે એકપક્ષીય યુદ્ધવિરામ શરૂ કરશે, ત્યારે તેની અને જેકેએલએફ-વાય સભ્યો સામેના તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application