જમ્મુ - કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-યાસીનના પ્રમુખ યાસીન મલિકે દાવો કર્યો છે કે તેણે હથિયારોના બળનો ઉપયોગ કરીને વિરોધ કરવાની પદ્ધતિ છોડી દીધી છે અને ગાંધીવાદી પદ્ધતિ અપ્નાવી છે. તેણે જેકેએલએફ-વાય પરના પ્રતિબંધની સમીક્ષા કરતી યુએપીએ કોર્ટમાં સબમિટ કરેલા સોગંદનામામાં આ વાત કહી છે.
જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-યાસીન (જેકેએલએફ-વાય)ના અધ્યક્ષ યાસીન માલિકે જણાવ્યું હતું કે જેકેએલએફ-વાય એ સંયુક્ત સ્વતંત્ર કાશ્મીરની સ્થાપ્નાના તેના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે 1994 માં સશસ્ત્ર સંઘર્ષ છોડી દીધો હતો વિરોધની ગાંધીવાદી પદ્ધતિ અપ્નાવી છે.
ગયા મહિને યુએપીએ કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં યાસીન મલિકના એફિડેવિટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ જેકેએલએફ-વાયને ગેરકાયદેસર સંસ્થા તરીકે જાહેર કરવાના નિર્ણયને આગામી પાંચ વર્ષ માટે યથાવત રાખવામાં આવ્યો છે.અહેવાલ અનુસાર, યાસીન મલિકે પોતાના સોગંદનામામાં દાવો કર્યો છે કે અલગતાવાદીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલની શોધમાં કેન્દ્રમાં રાજકીય અને સરકારી અધિકારીઓ 1994થી તેમની સાથે જોડાયેલા છે.યાસીન મલિક 1990માં શ્રીનગરના રાવલપોરા વિસ્તારમાં ભારતીય વાયુસેનાના ચાર જવાનોની હત્યાનો મુખ્ય આરોપી છે. આ કેસમાં તેની ઓળખ પ્રાથમિક શૂટર તરીકે થઈ હતી.
યાસીન મલિકને પણ મે 2022માં આતંકવાદને નાણાં પૂરા પાડવાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.આ દરમિયાન, તેણે દાવો કર્યો હતો કે 90ના દાયકામાં વિવિધ સરકારી અધિકારીઓએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ વિવાદને વાતચીત દ્વારા ઉકેલશે.
આ સિવાય, જ્યારે તે એકપક્ષીય યુદ્ધવિરામ શરૂ કરશે, ત્યારે તેની અને જેકેએલએફ-વાય સભ્યો સામેના તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં ૧ કિલો ૯૦ ગ્રામ ગાંજા સાથે મુળ રાણાવાવનો યુવાન ઝડપાયો
May 15, 2025 02:46 PMસુપ્રીમે નક્કી કરેલી સમયમર્યાદા પર રાષ્ટ્રપતિએ કર્યા સવાલ-બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી
May 15, 2025 02:45 PM‘આવો આવો, અમારા પોરબંદરમાં લૂંટફાટ કરવી હોય તો ઘણુ મળશે!’
May 15, 2025 02:44 PMપોરબંદરમાં લોકોને પાયાની સુવિધા આપવા મનપાનું તંત્ર કટિબધ્ધ
May 15, 2025 02:38 PMબે પત્નીના પરિવારોના ડખ્ખામાં થયેલી હત્યાના બે મહિલા આરોપીની જામીન અરજી નામંજુર
May 15, 2025 02:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech