પતિએ પત્ની–સાળીને માથામાં છરી ઝીંકી સાસુને પછાડી ઢીકાપાટુનો માર માર્યો

  • January 31, 2024 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જંગલેશ્વર વિસ્તારમાં રહેતો પતિ જુના મોરબી રોડ પર ભગવતીપરામાં માવતરના ઘરે ગયેલી પત્નીને તેડવા માટે ગયો હતો. દરમિયાન પત્નીએ સાથે આવવાની ના કહી હતી.જે સાંભળી પતિએ ઉશ્કેરાઇ જઇ છરી કાઢી પત્ની અને સાળીને માથાનાભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા તેમજ વચ્ચે પડતા સાસુને પણ પછાડી ઢીકાપાટુનો મારમાર્યેા હતો. હત્પમલામાં ઘવાયેલ માતા પુત્રીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જંગલેશ્વરમાં એકતા કોલોનીમાં રહેતી પરિણીતા હત્પસેનાબેન(ઉ.વ ૩૪) એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ હત્પસેન સતારભાઈ કટારીયાનું નામ આપ્યું છે. પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લ અઢાર વર્ષ પૂર્વે હત્પશેન કટારીયા સાથે થયા હતા લજીવન થકી સંતાનમાં ૧૬ વર્ષનો પુત્ર છે પતિ મુરઘીનો ધંધો કરે છે અને તે અવારનવાર ખોટી શંકા કરી હેરાન કરે છે.
દરમિયાન ગઇ તા.૨૭૧ ના રોજ માવતરના ઘરે કહાની હોય જેથી પતિ અહીં પીયર મૂકી ગયો હતો.બાદમાં તા.૩૦૧ ના સવારના સમયે તે અહીં તેડવા આવ્યો હતો જેથી હત્પસેનાબેને પતિને સાથે જવાની ના કહેતા તે ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો.જેથી ફરિયાદીની નાની બહેને ફરીદાએ ગાળો બોલવાની ના કહેતા હત્પશેને ઉશ્કેરાઇ જઇ છરી કાઢી ફરીદાને માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.ફરિયાદી વચ્ચે પડતા તેને પણ માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.
આ દરમિયાન હત્પશેનાબેનના માતા હાલુબેન વચ્ચે પડતા તેમણે પણ ધક્કો મારી પછાડી દઇ ઢીકાપાટુનો મારમાર્યેા હતો.દરમિયાન દેકારો થતા હત્પશેન અહીંથી નાસી ગયો હતો તે પૂર્વે તેણે ધમકી આપી હતી કે, હવે હત્પં જયારે તેડવા આવુ ત્યારે તુ મારી સાથે નહીં આવે તો તમને બધાને હત્પં જાનથી મારી નાખીશ.હત્પમલામાં ઘવાયેલા માતા–પુત્રીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.આ અંગે પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application