રાજકોટમાં કમાતી ત્યક્તા પત્નીએ કરેલા ભરણપોષણના કેસમાં રાજકોટ ફેમિલી કોર્ટ દ્વારા માસિક રૂ. ૮ હજાર ભરણપોષણ પેટે પરિણીતાને ચુકવવા પતિને હુકમ કરાયો છે.
આ કેસની હકિકત મુજબ, હાલના અરજદાર દેવલબેન ટોળીયા (રહે. રાજકોટ) લગ્ન ૧૪/ ૮/ ૨૦૨૦ના રોજ રાજકોટ મુકામે નિરવ હીતેષભાઈ ટોળીયા સાથે થયા હતા. તેમાં સંયુક્ત કુટુંબમાં સહલગ્ન જીવનનાના સમયમાં જ દંપતી અને સાસરિયાઓ વચ્ચે અણબનાવનું પ્રમાણ વધી ગયું હતું. તેમાં બંનેના કુટુંબો વચ્ચે સમાધાન થતું હતું. પરંતુ અણબનાવ પૂર્વવત રહેતા હતા. આથી દેવલબેન તેમના પીયર રીસામણે ચાલ્યા ગયેલ હતા. આ સમયગાળા દરમ્યાન પતિ દ્વારા અરજદારના ભરણપોષણની કોઇ જવાબદારી નીભાવાઇ ન હોઈ તેથી પરિણીતા દેવલબેન કાયદા અન્વયે અરજી ફેમિલી કોર્ટમાં ભરણ પોષણની અરજી કરી હતી.
આ સંદર્ભે જેતપુરમાં કેમિકલ બિઝનેસ કરતા પતિ નિરવ હિતેશભાઈ ટોળીયાએ અરજી સામે અરજદાર પોતે નોકરીમાં રૂપિયા 15 હજાર મેળવતા હોવા સહિતના જવાબવાંધા રજુ કર્યા હતા. ત્યારબાદ સદર કામે બંને પક્ષકારોનો પુરાવો વિગતવાર લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કેસ આખરી દલીલો પર પહોંચતા અરજદારના એડવોકેટ એ.વી. પોકીયાએ દલીલમાં જણાવેલ કે પતિએ ચાલુ લગ્નજીવન દરમિયાન અરજદારને વિના કારણે ઘરમાંથી કાઢી મુકેલ છે
અરજદારને તેડી જવા તૈયાર નથી, જે તમામ સત્ય હકીકત રેકર્ડ પર આવેલ છે, તેથી અરજદાર ભરણપોષણ મેળવવા કાયદેસર હક્કદાર બને છે, તેમજ પત્ની નોકરી કરતી હોય તે કારણથી હતી ભરણ પોષણની જવાબદારીમાંથી છટકી ન શકે, તે મતલબનું :રજનેશ વિ.નેહા'ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ અરજદાર કમાતા હોય તેમછતાં ભરણપોષણ મેળવવા હકકદદાર બને છે વગેરે દલીલો તેમજ રેકર્ડ પર પડેલ પુરાવા સંદર્ભેની મૌખીક દલીલો ધ્યાને લઈને ફેમિલી કોર્ટના જજે અરજદાર પરિણીતાની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે દર માસે રકમ રૂ.૮ હજાર મુળ અરજીની તારીખ ૨૧/ ૦૨/ ૨૦૨૨થી નિયમીત સામાવાળા પતીએ ચુકવવા તેમજ અરજી ખર્ચના રૂ. ૨૫૦૦/- ચુકવવા તેવો હુકમ કર્યો છે.
આ હુકમથી અરજદાર દર માસે ભરણપોષણ મેળવવા ઉપરાંત 40 મહિનાના ભરણપોષણનું એરિયર્સ મેળવવા હક્કદાર બન્યા છે. આ કેસમાં અરજદાર વતી રાજકોટના જાણીતા પી એન્ડ આર લો ચેમ્બરના સિનિયર એડવોકેટ અલ્પેશ વી. પોકિયા, અમિત ગડારા, પરેશ મૃગ, ભાર્ગવ જે. પંડયા, કેતન જે. સાવલીયા, ડેનીશ એ. વિરાણી, વંદના એચ. રાજયગુરૂ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસ.ઓ.જી. દ્વારા લાલપુર ખાતે NDPS અંગે સેમિનાર યોજાયો
June 18, 2025 07:13 PMઅમદાવાદ પ્લેન ક્રેશ: 208 મૃતકોના DNA મેચ, 173 મૃતદેહો પરિવારોને સુપરત
June 18, 2025 06:43 PMદેવભૂમિ દ્વારકા..જિલ્લામાં ત્રણ વર્ષમાં રૂ.100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
June 18, 2025 06:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech