પાલીતાણામાં છરીના ૧૪ ઘા ઝીંકી પતિએ કરી નાખી પત્નીની ક્રુર હત્યા

  • June 06, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 કંકાસમાં મારામારી-હત્યા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પાલીતાણામાં પતિએ પરકંકાસના કારણે પત્નીને છરીના ૧૪ થા મારીને મોતને ઘાટ ઉતારી હોવાની મોકવનારી ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે જાણ થતાં પાલીતાણા ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે પત્નીની હત્યા કરનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર શહેર જિલ્લામાં રોજબરોજ હત્યાની ઘટનાઓ ઘટી રહી છે. છેલ્લા થોડા સમય દરમિયાન ભાવનગર રાહેરના જુદા જુદા વિસ્તારમાં બે યુવકની હત્યા બાદ સિહોર પંથકમાં કંપતીની બેવડી હત્યાની ઘટના સાથે આવી હતી. હજુ બેવડી હત્યાની સાહી સુકાઈ નથી ત્યા પાલીતાણામાં પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો હતો.
પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં રહેતા સાગર ચનાભાઈ સરવૈવાએ મુંબઈના દિશાબહેન (ઉ.વ. ૨૩) વર્ષ ૨૦૧૯માં પ્રેમ લગ્ન કર્યા હતા. ગુરુવાર ના રોજ બંને પતિ-પત્ની વચ્ચે ઝથડો થયો હોવાનું જણાય છે. જેમાં  પતિએ  આવેશમાં આવીને પત્નીને છરીના ૧૪ ઘા   ઝીંકીને હત્યા નીપજાવી હતી. પાલીતાણામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. 
પત્નીની હત્યા કવાં બાદ આરોપી પતિ મૃતક પત્નીના મૃતદેહ  સામે બેઠો રહ્યો હતો. પાલીતાણા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતક મહિલાનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ પરી હતી. જયારે રક્ત રંજીત ઘટનાના પગલે પોલીસે હત્યારા પતિ  સામે ગુનો દાખલ કરી તેને  ઝડપી લઈ  લોકઅપ હવાલે કરી દીધો હતો.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application