શહેરના યાજ્ઞિક રોડ અને કાલાવડ રોડના ફાસ્ટ ફડ પાર્લર્સમાં ચેકિંગ કરતા ૧૫ કિલો વાસી જથ્થો મળ્યો હતો જેનો નાશ કરીને નોટિસ ફટકારાઇ હતી તેમજ સેમ્પલ લેવાયા હતા.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગ અને ફડ વિભાગના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં ફડ બ્રાન્ચની ટીમ દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શ્રીનાથજી ફાસ્ટ ફડ, ડો.યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ સામે, રાજેશ્વરી કોમ્પ્લેક્ષ, ગ્રાઉન્ડ ફલોર, દુકાન નં.૯ ખાતે ફડ ચેકિંગ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલા વાસી સડેલા અખાધ્ય જણાતા બાફેલા બટેટા ચાર કિલો તથા એકસપાયરી ડેઇટ વિતાવી ચુકેલ ચોકલેટ સોસ એક કિલો મળીને કુલ પાંચ કિલો જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી અને સ્થળ ઉપરથી ચીઝ, બટર તથા લીલી ચટણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
તદઉપરાંત ભોલા ફાસ્ટ ફડ, પ્રેમ મંદિર સામે– હોકર્સ ઝોન, કાલાવડ રોડ, રાજકોટની તપાસ કરતાં ત્યાંથી સંગ્રહ કરેલ વાસી બેકરી પ્રોડકટસ જેમાં વાસી પાઉં, વાસી બ્રેડ, વાસી પીઝા બેઇઝનો પાંચ કિલો જથ્થો અખાધ્ય જણાતા સ્થળ પર નાશ કરેલ તેમજ હાઇજેનિક કન્ડિશન જાળવવા સૂચના આપવામાં આવી હતી.
ફડ વિભાગની ટીમ દ્રારા વાન સાથે શહેરના નંદનવન રોડ અને પુનિતનગર વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૨૩ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં સાત ધંધાર્થિને ફડ લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech