પોરબંદરમાં ગાંધીજી અને કસ્તુરબા ના સ્મારકના પ્રચાર પ્રસારમાં ભારે અસમાનતા હોય તેમ ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિરે દરરોજ ૨૫૦૦ થી ૩૦૦૦ લોકો મુલાકાત લે છે જેમાંથી કીર્તિ મંદિરની પાછળ આવેલા કસ્તુરબાના પિયરના ઘરે માંડ ૨૫ થી ૩૦ લોકો મુલાકાત લઈ રહ્યા હોવાથી તેના પ્રચાર પ્રસાર માટે તંત્રએ નકર કાર્યવાહી કરવી જરી બની જાય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન પોરબંદરનું કીર્તિ મંદિર વિશ્વવિખ્યાત છે અને દેશ વિદેશના દરરોજ ૨૫૦૦થી ૩૦૦૦ પ્રવાસીઓ અહીંની મુલાકાત લે છે. પરંતુ તેમને મહાત્મા બનાવવામાં સૌથી મહત્વનું યોગદાન આપનાર તેમના ધર્મ પત્ની કસ્તુરબા ગાંધીનું પિયર નું ઘર કીર્તિ મંદિરની બરાબર પાછળ આવેલું છે અને ત્યાં દરરોજ આવતા પ્રવાસીઓની સંખ્યા ત્રણ આંકડે પણ પહોંચતી નથી. અહીંયા માંડ ૨૫ જેટલા લોકો પણ મુલાકાતે આવતા નથી. કસ્તુરબા ના પિયર ના ઘર ની જવાબદારી રાજ્ય સરકારના પુરાતત્વ ખાતા હસ્તકની છે. કેટલાક વર્ષો પહેલા બા બાપુના સ્મારકને એક કરવા માટે કીર્તિ મંદિર અને કસ્તુરબાના પિયરના ઘર વચ્ચેના ભાગે બાંધકામ થયું હતું પરંતુ ત્યારબાદ કિરણ બેદીએ મેળવેલા સ્ટેને કારણે કીર્તિ મંદિરની આજુબાજુમાં કરવાનું થતું બાંધકામ કાયદાની ગુંચવણમાં પડી ગયું છે. તે ઉપરાંત કસ્તુરબા ના ઘરનો તંત્ર દ્વારા પણ એટલો પ્રચાર પ્રસાર કરવામાં આવતો નથી. બીજી ઓક્ટોબરે કીર્તિ મંદિરે આવતા રાજ્યના મુખ્યમંત્રી અથવા મહાનુભાવો પણ કસ્તુરબાના પિયરના ઘરે જતા નથી. કસ્તુરબાના પિયર નું ઘર ખૂબ જ વ્યવસ્થિત રીતે સાચવવામાં આવ્યું છે અને તેના દરેક ઓરડા તથા દિવાલો સહિત બારી દરવાજાની ખૂબ જ જાળવણી અને જતન કરવામાં આવ્યા છે. માટે પોરબંદરના જિલ્લા વહીવટી તંત્રએ હવે ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિર ની સાથોસાથ કસ્તુરબાના પિયર ના ઘરના પ્રચાર પ્રસાર માટે પણ નકકર કાર્યવાહી કરવી જોઈએ અને કીર્તિ મંદિરની મુલાકાત લેતા પ્રવાસીઓમાંથી જો ૧૦% પ્રવાસીઓ પણ કસ્તુરબાના ઘરની મુલાકાત લેશે તો મહેનત લેખે લાગી ગણાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech