સ્ટ્રેસ ફક્ત માનસિક રીતે જ નહીં પણ શારીરિક રીતે પણ અસર કરે છે. હળવો સ્ટ્રેસ સામાન્ય છે પણ વધુ પડતો અને સતત સ્ટ્રેસ સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. આનાથી હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને અન્ય રોગો થઈ શકે છે. કસરત, સારી ઊંઘ અને સોશિયલ ઇન્ટરેકશન દ્વારા આ ઘટાડી શકાય છે.
આપણી આસપાસના લોકો સ્ટ્રેસ વિશે ખૂબ હળવાશથી વાત કરતા જોવા મળે છે. ઘણા લોકો સ્ટ્રેસમાંથી પસાર થઈ રહેલા લોકો પર ટિપ્પણી પણ કરતા હોય છે કે તને કઈ વાતની ચિંતા છે ભાઈ! પરંતુ શું જાણો છો કે આ સામાન્ય તણાવની ગંભીર અસરો થઇ શકે છે. ત્યારે આ પ્રશ્ન ઉદ્ભવે છે કે કોઈ વ્યક્તિ કેટલો તણાવ સહન કરી શકે છે?
ભલે મુશ્કેલ કાર્ય દરમિયાન સ્ટ્રેસમાં આવવાની શક્યતા વધુ હોય છે પરંતુ ક્યારેક હોરર ફિલ્મ જોવા અથવા ડેટ પર જવા જેવી બાબતો પણ સ્ટ્રેસનું કારણ બની શકે છે. જ્યારે ભય કે કંઈક અસામાન્ય લાગે છે, ત્યારે શરીરમાં અચાનક એડ્રેનાલિન અથવા કોર્ટિસોલ જેવા તણાવ હોર્મોન્સનો ભરાવો થઈ જાય છે. આવી સ્થિતિમાં હૃદયના ધબકારા વધે છે, બ્લડ પ્રેશર પણ વધે છે, એનર્જી પણ વધે છે જેથી અચાનક તણાવ સામે લડી શકો. તેની અસર થોડા સમય માટે રહે છે અને શરીર સામાન્ય સ્થિતિમાં પાછું આવે છે.
જ્યારે કોઈ ચોક્કસ પરિસ્થિતિ કે કાર્ય વિશે સ્ટ્રેસ અનુભવો છો ત્યારે આવું થાય છે પરંતુ પરિસ્થિતિ સામાન્ય થતાં જ સારું લાગવા લાગે છે. અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનના અહેવાલ મુજબ, આપણું શરીર થોડી માત્રામાં સ્ટ્રેસ લેવા માટે બનાવવામાં આવ્યું છે પરંતુ જ્યારે આ સ્ટ્રેસ લાંબા સમય સુધી અથવા ક્રોનિક બની જાય છે ત્યારે આપણા શરીર પર ઘણા ખરાબ પરિણામો જોવા મળે છે.
પેટમાં પણ કંઈક થતું હોય એવું લાગે છે
પેટમાં બટરફ્લાઈ જેવું ફીલ થાય છે એવી વાત કરીએ છીએ પરંતુ સ્ટ્રેસ ખરા અર્થમાં તેનો અનુભવ કરાવે છે. કોઈપણ પ્રેઝન્ટેશન આપતા પહેલા પેટમાં થોડી અસ્વસ્થતા અથવા દુખાવો થઈ શકે છે. ક્યારેક સ્ટ્રેસ પાછળ મોટા કારણો હોય શકે છે, જેમ કે પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો અથવા ભૂકંપ કે આતંકવાદી હુમલા જેવી પરિસ્થિતિમાં પણ થઈ શકે છે.
વારંવાર સ્ટ્રેસ થાય તો શું થાય
જો વારંવાર એક્યુટ સ્ટ્રેસ ચાલુ રહે તો તેનાથી હૃદયની ધમનીઓમાં સોજાની સમસ્યા પણ થઇ શકે છે. આ પણ હૃદયરોગના હુમલાના ઘણા કારણોમાંનું એક છે. તે જ સમયે, વ્યક્તિ તણાવ સામે લડવાની રીત કોલેસ્ટ્રોલના સ્તરને પણ અસર કરે છે.
કેવી રીતે કરવું મેનેજ
મિત્રો બનાવો અને લોકોને મળતા રહો
કસરત કરવાનું ભૂલશો નહીં
દરરોજ રાત્રે સારી ઊંઘ લો
જો સતત તણાવ અનુભવતા હોય તો સાયકોલોજીસ્ટને મળો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationRTE પ્રવેશમાં મોટો ફેરફાર: આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા, વાલીઓને મળશે રાહત
March 12, 2025 07:17 PMજામનગરમાં શગુન ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓની શપથ વિધિ
March 12, 2025 07:08 PMધુળેટીના તહેવારને ઘ્યાનમાં લઇને ફુડ શાખાએ પતાસા અને ખજુરના નમૂના લીધા
March 12, 2025 07:02 PMજામનગર : માર્ચના અંત સુધીમાં લાખોટા તળાવને ભરી દેવાશે
March 12, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech