ઘણા ભારતીયો અમેરિકામાં જઈને સ્થાયી થયા છે, એ જ રીતે વિશ્વભરમાંથી ઘણા લોકો અમેરિકામાં જઈને રહે છે. એવા લોકો માટે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું કોઈ સપનાથી ઓછું નથી. તે કાયમી રહેઠાણનો દસ્તાવેજ છે જે ધારકને યુએસમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે પરંતુ સવાલ એ થાય છે કે દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? અને ખાસ કરીને એમાં ભારતીયોની આ સંખ્યા કેટલી છે?
ગ્રીન કાર્ડ શું છે?
ગ્રીન કાર્ડ યુએસ સરકાર દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર દસ્તાવેજ છે. આ દસ્તાવેજ ધારકને અમેરિકામાં કાયમી નિવાસીનો દરજ્જો આપે છે. ગ્રીન કાર્ડ ધારકોને રહેવા, કામ કરવાની, શાળાએ જવાની અને પરિવારના સભ્યોને અમેરિકા લાવવાની છૂટ છે.
દર વર્ષે કેટલા લોકોને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળે છે?
ગ્રીન કાર્ડને યુનાઇટેડ સ્ટેટ્સ પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ કહેવામાં આવે છે. ગ્રીન કાર્ડ યુએસ નાગરિકતા પ્રાપ્ત કરવા માટે મૂળભૂત પગલું છે. અમેરિકામાં દર વર્ષે 10 લાખ લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે.
જો કે ગ્રીન કાર્ડ માટે વેઇટિંગ લિસ્ટ ખૂબ લાંબી હોય શકે છે, ખાસ કરીને કુટુંબ આધારિત અરજીઓના કિસ્સામાં. કેટલાક કિસ્સાઓમાં વેઇટિંગ લિસ્ટ 10 વર્ષ અથવા તેનાથી પણ વધુ હોય શકે છે.
ગ્રીન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?
ગ્રીન કાર્ડ માટે ઘણી રીતે અરજી કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ નજીકના સંબંધીઓ અમેરિકન નાગરિક અથવા કાયમી નિવાસી છે, તો તેમના દ્વારા ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકો છો. આ સિવાય જો કોઈ અમેરિકન કંપનીને સેવાઓની જરૂર હોય તો તે માટે ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. ઉપરાંત, દર વર્ષે યુએસ સરકાર ગ્રીન કાર્ડ લોટરીનું આયોજન કરે છે જેમાં વિશ્વભરના લોકો ભાગ લઈ શકે છે અને જો અન્ય દેશમાં અત્યાચાર કે હિંસાનો ભોગ બન્યા હોવ તો, અમેરિકામાં શરણાર્થી અથવા રાજકીય આશ્રય માટે અરજી કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMયુએસના ૧૦૪ ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ચીનની પ્રતિક્રિયા: અમે સામનો કરવા માટે તૈયાર
April 09, 2025 11:59 AMભારત સહિત ઘણા દેશો ટેરિફ ઘટાડવા તૈયાર, ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરનો દાવો
April 09, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech