- સેન્સર બોર્ડમાંથી પાસ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો રાજયોને અધિકાર છે કે નહીં?
- પ્રકાશ ઝાની ફિલ્મ આરક્ષણ પર યુપીના બેન અંગે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો હતો
આજકાલ ફિલ્મ ધ કેરલ સ્ટોરી વિવાદો અને ચર્ચાની વચ્ચે બોક ઓફિસ પર કમાણી કરી રહી છે. એક બાજુ કેરળ અને હવે પશ્ચિમ બંગાળ સરકારે પ્રતિબંધ મૂક્યો છે. તો એમપી, યુપીની સરકારે તેને ટેક્સ ફ્રી કરી દીધી છે. ત્રણ રાજ્યોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાતા સેન્સર બોર્ડ દ્વારા પાસ થયા પછી કોઈ રાજ્ય ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકે તેવો સવાલ થઇ રહ્યો છે.
અત્યાર સુધી બોલીવૂડની ઘણી એવી ફિલ્મો આવી છે, જેના પ્રદર્શન પર અલગ-અલગ રાજ્યોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજકાલ 'ધ કેરળ સ્ટોરી'ની ખૂબ ચર્ચા થઈ રહી છે. સૌથી પહેલા કેરળ સરકારે આ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે પશ્ચિમ બંગાળની અને તમિલનાડુમાં પણ 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આ પ્રતિબંધની ટીકા કરી છે. તે જ સમયે, ઘણા લોકો છે, જે તેને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFC ભારતમાં ફિલ્મોની તપાસ કરવા અને જો કંઈક વાંધાજનક જણાય તો તેને કાપવા માટે જવાબદાર છે. CBFC વર્ષ 1983 સુધી સેન્ટ્રલ ફિલ્મ સેન્સર બોર્ડ તરીકે જાણીતું હતું. દેશમાં ફિલ્મ રિલીઝ કરતા પહેલા સેન્સર બોર્ડ પાસેથી સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. આ સર્ટિફિકેટ વિના ફિલ્મ દેશમાં ક્યાંય પણ રિલીઝ થઈ શકે નહીં. જોકે, ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવી બિલકુલ જરૂરી નથી.
કોઈપણ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મેળવવામાં લગભગ બે મહિનાનો સમય લાગે છે. સૌથી પહેલા સેન્સર બોર્ડના જ્યુરી મેમ્બર્સ ફિલ્મ જુએ છે. જો તેમને ફિલ્મમાં કોઈ સીન વાંધાજનક લાગે તો તેને કાપી નાખવામાં આવે છે. આ પછી બોર્ડ ચાર કેટેગરીમાં ફિલ્મોને સર્ટિફિકેટ આપે છે. 'યુ સર્ટિફિકેટ' એટલે કે કોઈપણ વય અને વર્ગના લોકો આ ફિલ્મ જોઈ શકે છે. આમાં કશું વાંધાજનક નથી. ત્યારબાદ 'UA સર્ટિફિકેટ' હેઠળ આવતી ફિલ્મો 12 વર્ષથી નીચેના બાળકો તેમના માતા-પિતા સાથે જોઈ શકશે. માત્ર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ 'A સર્ટિફિકેટ'વાળી ફિલ્મો જોઈ શકશે. બીજી તરફ, 'એસ સર્ટિફિકેટ'વાળી ફિલ્મો માત્ર ડૉક્ટરો, વૈજ્ઞાનિકો જેવા ખાસ દર્શકો જ જોઈ શકે છે.
CBFC સિનેમેટોગ્રાફી એક્ટ 1952 અને સિનેમેટોગ્રાફી નિયમો 1983 હેઠળ કામ કરે છે. તેથી સેન્સર બોર્ડ કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકે નહીં. જોકે, જો CBFC ઇચ્છે છે, તો તે ચોક્કસપણે ફિલ્મને પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી શકે છે. આવી સ્થિતિમાં, ફિલ્મ કોઈપણ થિયેટરમાં રિલીઝ થઈ શકે નહીં. આડકતરી રીતે, તે ફિલ્મ માટે પ્રતિબંધ જેવી સ્થિતિ હશે. કેન્દ્રએ 31 માર્ચ 2022 ના રોજ સંસદના ઉપલા ગૃહમાં કહ્યું હતું કે, CBFC કોઈ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકે નહીં, પરંતુ સિનેમેટોગ્રાફી એક્ટ 1952 (B) હેઠળ માર્ગદર્શિકાના ઉલ્લંઘન માટે પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી શકે છે.
જો કેન્દ્ર સરકાર ઇચ્છે તો સિનેમેટોગ્રાફી એક્ટ 1952 (5E) હેઠળ સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર જારી કર્યા પછી પણ તે કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકે છે. જો જરૂર જણાય તો કેન્દ્ર સરકાર CBFC દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રને પણ રદ કરી શકે છે. કેન્દ્ર સરકારે સિનેમેટોગ્રાફી એક્ટમાં ફેરફાર માટે 2022માં એક બિલ પણ રજૂ કર્યું હતું. તેમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે, જો દર્શકોને કોઈપણ ફિલ્મ સામે વાંધો હોય તો કેન્દ્ર સરકાર તેના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી શકે છે. આ બિલ હજુ પાસ થયું નથી.
સુપ્રીમ કોર્ટે વર્ષ 2011માં એક નિર્ણયમાં કહ્યું હતું કે, જો સેન્સર બોર્ડે કોઈ ફિલ્મને સર્ટિફિકેટ જારી કર્યું હોય તો કોઈપણ રાજ્ય સરકાર તેના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી શકે નહીં. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે નિર્દેશક પ્રકાશ ઝાની ફિલ્મ 'આરક્ષણ' પર પ્રતિબંધ લગાવવાના કેસમાં આ નિર્ણય આપ્યો હતો.
તત્કાલીન યુપી સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકારનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, કોઈ ફિલ્મની ટીકા કરવાનું નથી. જો આ નિર્ણય દાખલા તરીકે લેવામાં આવે તો પશ્ચિમ બંગાળ અને કેરળ, તમિલનાડુની સરકારો દ્વારા 'ધ કેરળ સ્ટોરી' પરનો પ્રતિબંધ ખોટો છે. તે સ્પષ્ટ છે કે, રાજ્ય સરકારોને કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના ફ્લાયઓવરબ્રિજ ઉપર ડમ્ફર હડફેટે એકટીવા ચાલક વૃદ્ધનું નીપજ્યું મોત
July 04, 2024 05:35 PMઅનંત-રાધિકાના લગ્નમાં થશે ફ્લેશ મોબ, આ લોકો કરશે પરફોર્મ
July 04, 2024 05:32 PMપંજાબ-ભારત-પાક સરહદ પર ઘૂસણખોરી કરતા પાકિસ્તાનીની BSFએ કરી ધરપકડ
July 04, 2024 05:19 PMકલ્કિ 2898 એડી પર મહાભારતના ભીષ્મ થયા ગુસ્સે, કહ્યું- દરેક હિન્દુને આના પર વાંધો...
July 04, 2024 05:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech