ચીનના HMPV વાયરસે દુનિયાને ફરી મહામારીના મુખમાં ધકેલવાનું શરૂ કર્યું છે. આ વાયરસે હવે ભારતમાં દસ્તક દીધી છે. ત્યારે આ વાયરસ કેવી રીતે ફેલાઈ છે તે સૌ કોઈ જાણવા માગે છે.
પહેલા જાણીએ વાયરસ કેવી રીતે ફેલાઈ છે
HMPV વાયરસ શું છે?
હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) એ એક વાયરસ છે જેનાં લક્ષણો સામાન્ય શરદીનાં લક્ષણો જેવાં જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં, તે ઉધરસ અથવા શરદી, નાકમાંથી પાણી નીકળવું અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે. નાનાં બાળકો અને વૃદ્ધોમાં, HMPV ચેપ ગંભીર હોય શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
HMPV સંક્રમણને કેવી રીતે અટકાવવો?
શું HMPV એ કોરોના જેવો જ વાયરસ છે?
HMPV ફલૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. વાયરસ સામાન્ય રીતે ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે પરંતુ કેટલીકવાર નીચલા શ્વસન માર્ગના સંક્રમણનું કારણ બની શકે છે. શિયાળામાં અને વસંત ઋતુના પ્રારંભમાં HMPV ચેપ વધુ સામાન્ય છે. જ્યારે HMPV અને SARS-CoV-2 (COVID-19 માટે જવાબદાર વાઈરસ) અલગ-અલગ વાયરલ સાથે સંબંધિત છે, તેઓમાં આશ્ચર્યજનક સમાનતા છે. બંને વાયરસ મુખ્યત્વે માનવ શ્વસન તંત્રને નિશાન બનાવે છે, જે હળવાથી ગંભીર ચેપનું કારણ બને છે. એચએમપીવી, કોરોનાની જેમ, શ્વાસોચ્છવાસના ડ્રોપલેટ્સ (બોલતી વખતે અથવા ઉધરસ ખાતી વખતે મોંમાંથી નીકળતાં ટીપાં)ના સંપર્ક દ્વારા ફેલાય છે. બંને વાયરસના ચેપનાં લક્ષણો સમાન છે, જેમ કે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ. કોરોના વાયરસની જેમ HMPV પણ બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે.
HMPV સંક્રમણ માટે સારવાર
HMPV માટે કોઈ વિશિષ્ટ એન્ટિવાયરલ સારવાર નથી. કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી. જો કોઈ વ્યક્તિને HMPV ચેપનાં લક્ષણો હોય તો તેને પોતાને આઈસોલેટ કરવા અને સામાન્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMજામનગર ABVP દ્વારા કશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાનો વિરોધ કરાયો
April 23, 2025 07:16 PMપહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ
April 23, 2025 07:12 PMજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech