પ્રેગ્નન્સી પછી વજન ઘટાડવું એ સ્ત્રીઓ માટે પડકારજનક હોય શકે છે. બાળકના જન્મ પછી વધેલું વજન લાંબા સમય સુધી રહે છે અને આ વજન ઝડપથી ઘટાડી શકાતું નથી. બાળકના જન્મ પછી બોલિવૂડ અભિનેત્રીઓનું વજન પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. જોકે, અભિનેત્રીઓ પણ ગર્ભાવસ્થા પછીનું વજન ખૂબ જ ઝડપથી ઘટાડે છે. ગર્ભાવસ્થા પછી પોતાને ફિટ રાખવા અને ઝડપથી વજન ઘટાડવા માટે અભિનેત્રીઓ આ સિક્રેટને ફોલો કરે છે.
રાહાના જન્મ પછી આલિયા ભટ્ટે કેવી રીતે વજન ઘટાડ્યું?
આલિયા ભટ્ટને તેના ડૉક્ટરે ડિલિવરીના 12 અઠવાડિયા પછી જ કસરત શરૂ કરવાની સલાહ આપી હતી અને તેણે પણ એવું જ કર્યું. આ દરમિયાન અભિનેત્રી 15 મિનિટ ચાલવાની અને શ્વાસ લેવાની કસરત કરતી હતી જેનાથી લોહીનો પ્રવાહ સુધરે છે. વર્કઆઉટની સાથે, તે હેલ્ધી ડાયટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આલિયા માને છે કે બ્રેસ્ટ ફિડીંગએ તેના વજન ઘટાડવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.
દીકરાના જન્મ પછી સોનમ કપૂરે કેવી રીતે વજન ઘટાડ્યું?
દીકરાના જન્મ પછી સોનમ કપૂરને વજન ઘટાડવામાં ઘણો સમય લાગ્યો. આ સમય દરમિયાન તેણે આહારની સાથે સાથે વર્કઆઉટનું પણ ધ્યાન રાખ્યું. આ સિવાય તેણે કોઈ ક્રેશ ડાયટ કે ક્રેઝી વર્કઆઉટનું પાલન કર્યું ન હતું. તેના બદલે તેણીએ પોતાનું અને બાળકનું ધ્યાન રાખતી વખતે પોતાનું વજન નિયંત્રિત કર્યું.
2 દીકરાઓના જન્મ પછી કરીના કપૂરે કેવી રીતે વજન ઘટાડ્યું?
કરીના કપૂરે તેના બીજા દીકરા જેહના જન્મ પછી 9 મહિનામાં વજન ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ સમયગાળા દરમિયાન, તેણે કોઈપણ ક્રેશ ડાયેટ કે વધુ પડતી કસરત વિના સરળતાથી વજન ઘટાડ્યું. ગર્ભાવસ્થા દરમિયાન કરીનાએ પિઝા, પાસ્તા, સમોસા અને મોતીચૂર લાડુ ખાધા હતા પરંતુ બાળકના જન્મ પછી, કરીના દૂધીની શાક, કારેલાની શાક, એક રોટલી અને એક વાટકી ભાત ખાતી અને સૂપ પીતી.
2 બાળકના જન્મ પછી અનુષ્કા શર્માએ કેવી રીતે વજન ઘટાડ્યું?
અનુષ્કા શર્મા બે બાળકોની માતા છે. જોકે, તેના ફિટ શરીરને જોઈને એમ કહેવું મુશ્કેલ છે કે તે બે બાળકોની માતા છે. દીકરાને જન્મ આપ્યા પછી વજન ઘટાડવા માટે નિષ્ણાતોએ તેને પાણીનું સેવન વધારવાની સલાહ આપી. આ ઉપરાંત, તેને વધુ ફળો અને શાકભાજી ખાવાની પણ સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત, તે બ્રેસ્ટફિડીંગ પણ કરાવતી હતી, જેનાથી કેલરી બર્ન કરવામાં મદદ મળતી હતી. નિષ્ણાતે અભિનેત્રીને ગર્ભાવસ્થા પછી સારી ઊંઘ લેવાની પણ સલાહ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech