સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. કેટલાક રાજ્યોમાં તાપમાન 47-48 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. માણસોથી લઈને પ્રાણીઓ સુધી દરેક જણ આ ગરમીમાં પોતાને સુરક્ષિત રાખવા માટે તમામ પગલાં લઈ રહ્યા છે. મોટાભાગના લોકો તડકામાં બહાર નીકળતી વખતે મોં પર કપડું બાંધે છે. પરંતુ શું તમે જાણો છો કે મોં પર કપડું બાંધવું યોગ્ય છે કે નહી. મોં પર કપડું બાંધવાથી કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે?
ઉનાળામાં છોકરીઓ કે છોકરાઓ સુધી દરેક વ્યક્તિ મોં પર કપડું, દુપટ્ટો કે સ્કાર્ફ બાંધે છે. પણ સવાલ એ છે કે મોં પર કપડું બાંધવાથી કઈ સમસ્યા થઈ શકે? નિષ્ણાતોના મતે ઉનાળા દરમિયાન મોટાભાગના દર્દીઓ ત્વચાની એલર્જી, ખાસ કરીને મોં અને હાથ પરની એલર્જીની ફરિયાદ સાથે ડોકટરો પાસે જાય છે. કોટન સિવાય કેટલાક કપડાં પણ ગરમી વધારે છે. છોકરીઓ પોતાને સૂર્યપ્રકાશથી બચાવવા માટે તેમના ચહેરા પર સ્કાર્ફ કે દુપટ્ટો બાંધે છે. આ દુપટ્ટાઓનું સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે.તેના કારણે એલર્જી અથવા ત્વચા સંબંધિત અન્ય કોઈ સમસ્યા થઇ શકે છે. છોકરીઓ તેમના ચહેરાને બાંધવા માટે જૂના પોશાકના દુપટ્ટાનો ઉપયોગ કરે છે, જે મોટાભાગે રંગીન હોય છે. તેનો રંગ ત્વચા માટે હાનિકારક છે, આ રંગ ઘણી બીમારીઓ પેદા કરવામાં સક્ષમ છે. તે જ સમયે પરસેવાના કારણે, આ કપડાંમાં ફૂગ પણ વધે છે, જે દેખાતી નથી, પરંતુ જ્યારે વાળ ખરવા જેવી સમસ્યા હોય ત્યારે તે દેખાય છે.
ઉનાળામાં બહાર જતી વખતે મોં અને માથું ઢાંકવું જરૂરી છે. પરંતુ દરેક કપડાનો ઉપયોગ કરવો યોગ્ય નથી. નિષ્ણાતોના મતે સૂર્યપ્રકાશથી બચવા માટે હંમેશા સફેદ રંગના સુતરાઉ કાપડનો ઉપયોગ કરવો જોઈએ. સુતરાઉ કાપડનો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત કોઈ સમસ્યા થતી નથી અને તે પરસેવો શોષી લે છે. નિષ્ણાતોના મતે રંગીન સ્કાર્ફ સૌથી ખતરનાક છે, તેથી તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
ઉનાળા દરમિયાનચહેરાને લૂછવા અથવા બાંધવા માટે જે પણ ટુવાલ અથવા કપડાનો ઉપયોગ કરો છો તેને ઘરે આવીને તરત જ તેને ધોઈ લેવો જોઈએ. તેનાથી એલર્જી અને ઈન્ફેક્શનની શક્યતા દૂર થઈ જાય છે. કોઈપણ કપડાના સતત ઉપયોગથી એલર્જી થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech