પોરબંદરના મીલપરા વિસ્તારમાં ટી.વી.માં શોર્ટસર્કિટ થતા લાગેલી આગને કારણે ઘરવખરી રાખ થઇ ગઇ હતી. જો કે જાનહાની ટળતા રાહતનો શ્ર્વાસ લેવાયો હતો.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના મીલપરાની શેરી નં-૨માં રહેતા ધીરજ લખમણ ગોહિલના મકાનમાં આગનો બનાવ બન્યો હતો જેમાં સાંજના સમયે ટી.વી.માં અચાનક શોર્ટસર્કીટ થતા આગ ફેલાઇ ગઇ હતી અને ગાદલા-ગોદળા સહિત ઘરવખરી સળગવા લાગતા પોરબંદર ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગની ટીમ તાત્કાલિક ફાયરફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પાણીનો એકધારો મારો ચલાવીને આગને ક્ધટ્રોલમાં કરી હતી.જો કે આગના આ બનાવમાં મોટાભાગની ઘરવખરી સળગીને નાશ પામી હતી. પરંતુ સદ્નસીબે કોઇને ઇજા કે જાનહાની થયા નથી તેથી રાહતનો શ્ર્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMટ્રમ્પના 25 ટકા ટેરિફ લગાવવા છતાં ભારતમાં બનેલા iPhones યુએસમાં સસ્તા પડશે
May 24, 2025 03:56 PMપિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા મોત નિપજ્યુ
May 24, 2025 03:27 PMસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech