સલાયા લોહાણા મહાજન દ્વારા નવેમ્બર માસમાં નિઃશુલ્ક વૃજ્યાત્રા પ્રવાસનું ભવ્ય આયોજન કર્યું હતું. જે યાત્રા પ્રવાસનાં મુખ્ય દાતા પરિવાર શેઠ શ્રી જયંતભાઈ વિઠ્ઠલદાસ બદિયાણી (મનજી માવજીની પેઢીવારા) તેમજ તેમના પરિવારજનો ખાસ આજરોજ સલાયા શ્રી દ્વારકાધીશજીની હવેલીએ પધાર્યા હતા. ત્યાં તેઓ દ્વારા અનેક સખાવતો કરેલ છે. તે નિહાળી અને ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો.
આ તકે સલાયા લોહાણા મહાજન દ્વારા તેમને અને તેમના પરિવારને સન્માનિત કરવમાં આવ્યા હતા. અને યાત્રા પ્રવાસનું સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું. તેમજ યાત્રાળુઓ સાથે આખા બદિયાણી પરિવારે યમુનાજીની સ્તુતિ કરી હતી. તેમજ યાત્રાળુઓ સાથે સંવાદ કરી અને યાત્રા પ્રવાસ દરમ્યાન થયેલ અનુભવો જાણ્યા હતા.
આ તકે ખંભાળિયાના પ્રતિષ્ઠિત રઘુવંશીઅને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ શ્રી ધિરેનભાઈ બદિયાણી દ્વારા પણ જયંતભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા કરવામાં આવતી સખાવતો અને એમના વતનપ્રેમ વિશે વાતો કરી કરી હતી અને ભરતભાઈ લાલ તેમજ એમના પરિવારજનોને સુંદર સેવા કાર્યો બદલ શુભેક્ષા આપી હતી.
આ તકે લોહાણા મહાજન સલાયાના પ્રમુખ ભરતભાઇ લાલ દ્વારા જયંતભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા સલાયા પ્રત્યેની એમની સ્નેહ ભરેલી લાગણી બદલ આભાર માન્યો હતો. આ તકે અરવિંદભાઈ ભાયાણી,મુકેશ બથિયા,રમણીક બથિયા,લાલજીભાઈ ભૂવા,સંજય રાજા, આશિત સાયાણી,સુનીલ ગોકાણી,કિરીટ બદિયાણી તથા લોહાણા મહાજન અને જલારામ સેવા સમિતિના સભ્યો ખાસ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech