હોમગાર્ડઝ દળ એ શિસ્તને વરેલું માનદ દળ છે. તેઓ પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં હંમેશા ખડે પગે રહે છે. જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ સતત પ્રગતિના સોપાન સર કરી રહ્યું છે. ત્યારે શિસ્તના આગ્રહી એવા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી સુરેશભાઈ ભીંડી ગેર શિસ્ત આચરનારા અને ફરજમાં બેદરકારી દાખવનારા હોમગાર્ડઝને હંમેશા કાયદાનું ભાન કરાવતા આવ્યા છે.
તાજેતરમાં, સીટી ’ઇ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલા હોમગાર્ડ જવાન પૃથ્વીરાજસિંહ અમરસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી હોમગાર્ડઝ દાળમાંથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. તેથી એક સંદેશો પહોંચાડેલો છે કે શિસ્તને વરેલી હોમગાર્ડઝ સંસ્થાની ગરિમાને નુકસાન પહોંચાડનારાને દળમાં સ્થાન નથી. આ પૂર્વે પણ, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી દ્વારા ગુન્હામાં જોડાયેલા હોમગાર્ડઝ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ તકે, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટે જણાવ્યું હતું કે, ગુનાહિત માણસ ધરાવતા હોમગાર્ડઝનો ક્યારેય પણ આ દળ સ્વીકાર કરશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવનિર્મિત હોસ્પિટલ ટુંક સમયમાં કાર્યરત કરવા અંગેનો દર્દીલક્ષી નિર્ણય લેવાયો
September 20, 2024 04:17 PMવાવડી પ્રા.શાળામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૯૨ અરજીઓનો નિકાલ
September 20, 2024 04:16 PMદવાની ફેક્ટ્રીમાં કેમિકલ લીક થતા હડકંપ, 8 મહિલા બેશુદ્ધ, બેની હાલાત ગંભીર
September 20, 2024 04:15 PMશું હૃદયના દર્દીઓએ વધુ પડતું પાણી ન પીવું જોઈએ, જાણો શું છે સત્ય?
September 20, 2024 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech