પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલા હોમગાર્ડઝ જવાને કરાયા સસ્પેન્ડ

  • May 31, 2023 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોમગાર્ડઝ દળ એ શિસ્તને વરેલું માનદ દળ છે. તેઓ પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં હંમેશા ખડે પગે રહે છે. જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ સતત પ્રગતિના સોપાન સર કરી રહ્યું છે. ત્યારે શિસ્તના આગ્રહી એવા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી સુરેશભાઈ ભીંડી ગેર શિસ્ત આચરનારા અને ફરજમાં બેદરકારી દાખવનારા હોમગાર્ડઝને હંમેશા કાયદાનું ભાન કરાવતા આવ્યા છે.
તાજેતરમાં, સીટી ’ઇ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલા હોમગાર્ડ જવાન પૃથ્વીરાજસિંહ અમરસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી હોમગાર્ડઝ દાળમાંથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. તેથી એક સંદેશો પહોંચાડેલો છે કે શિસ્તને વરેલી હોમગાર્ડઝ સંસ્થાની ગરિમાને નુકસાન પહોંચાડનારાને દળમાં સ્થાન નથી. આ પૂર્વે પણ, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી દ્વારા ગુન્હામાં જોડાયેલા હોમગાર્ડઝ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ તકે, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટે જણાવ્યું હતું કે, ગુનાહિત માણસ ધરાવતા હોમગાર્ડઝનો ક્યારેય પણ આ દળ સ્વીકાર કરશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application