અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં બળદેવધાર કેનાલ અને સીએનજી પેટ્રોલ પંપ વચ્ચે રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પરના રોડ પર તા. 27/3 ના રાત્રીના 8:30 વાગ્યા આસપાસ અજાણ્યા વાહને હડફેટે લેતા દિનેશ મનજીભાઈ ભાખોતરા(ઉ.વ 40 રહે. ઘેટાવાળા પ્લોટ, જેતપુર)ને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.
અકસ્માતના આ બનાવ અંગે યુવાનના પિતા મનજીભાઈ જગાભાઈ ભાખોતરા(ઉ.વ 62) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં ત્રણ પુત્ર છે જેમાં કમલેશ સૌથી મોટો તેનાથી નાનો અરવિંદ જે સૂરદાસ હોય તથા સૌથી નાનો દિનેશ હતો. દિનેશ અપરિણીત હતો અને છૂટક મજૂરી કરી રખડતો ભટકતું જીવન જીવતો હતો. ગઈકાલ રાત્રિના 8:30 વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે પૌત્ર જીતેન્દ્રએ વાત કરી હતી કે, દિનેશ કાકાને તત્કાલ ચોકડી પાસે અકસ્માત થયો છે. જેથી ફરિયાદી તથા તેના પરિવારજનો અહીં હોસ્પિટલે પહોંચ્યા હતા જ્યાં દિનેશનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં જાણવા મળ્યું હતું કે, દિનેશ જમવાનું પાર્સલ લઇ નવાગઢ ચોકડીએથી તત્કાલ ચોકડી તરફ નેશનલ હાઈવે રોડ પર બળદેવ ધાર કેનાલ સીએનજી પમ્પ પાસે પગપાળા જઈ રહ્યો હતો ત્યારે તેને અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું મોત થયું હતું. આ અંગે વૃદ્ધની ફરિયાદ પરથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech