હિન્દૂ સેના દ્વારા એનિમલ હેલ્પલાઇનની મદદથી ગાયને સ્થળ પર જ સારવાર કરાવી લેવાઇ
જામનગરમાં પંચવટી વિસ્તારમાં ગત મોડી રાતના સમયે એક ગાય પર એસિડ એટેક થયો હોવાનો હિન્દુ સેના દ્વારા આક્ષેપ કરાયો હતો, અને હિન્દુ સેનાના કાર્યકરો બનાવના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ગાયની સારવાર માટે એનિમલ હેલ્પલાઇનની ટીમને બોલાવી લેવાઇ હતી અને સારવાર અપાઇ છે.
પંચવટી વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ અજ્ઞાત વ્યક્તિએ ગાય પર એસિડ એટેક કર્યો હોય તેવો આક્ષેપ કરીને હિન્દુસેના ના અગ્રણીઓએ સ્થળ પર પહોંચી જઈ આસપાસના વિસ્તારમાં રહેતા વ્યક્તિઓની પૂછપરછ કરી હતી.
જેમાં આગલા દિવસે ગાયને કોઈપણ પ્રકારની ઇજા વગર ફરી રહી હતી, પરંતુ આજે વહેલી સવારે તેના કાન પર મોટો ઘાવ જોવા મળ્યો હતો, અને લોહી નીતરતી હાલતમાં જોવા મળી હતી, અને કોઈએ એસિડ એટેક કર્યો હોય તેવો આક્ષેપ કરાયો હતો.
ત્યારબાદ એનિમલ હેલ્પલાઇનની ટીમને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી, અને ગાયની પ્રાથમિક સારવાર કરી લેવામાં આવી છે. જોકે આ મામલે કોઈ વધુ ઇસ્યુ ન બને તે માટે શાંતિ ની અપીલ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદ માર્કેટિંગ યાર્ડમાં કરોડોનું ફલેકું ફેરવી પેઢીનું ઉઠમણું...!
April 29, 2025 02:14 PMદ્વારકામાં હનીટ્રેપ પ્રકરણમાં યુવતિ અને સાગરીતના રીમાન્ડ મંજુર
April 29, 2025 01:33 PMજામનગરની મેડીકલ કોલેજમાં એડમીશનના બહાને ૩.૧૦ લાખ ખંખેર્યા
April 29, 2025 01:26 PMદ્વારકા ઓખા વચ્ચે તંત્ર દ્વારા ધાર્મિક દબાણો હટાવાયા
April 29, 2025 01:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech