ઘર પાસે લઘુશંકા બાબતે હત્યાના આરોપીના રેગ્યુલર જામીન હાઇકોર્ટ દ્વારા મંજુર

  • May 28, 2025 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોઠારીયા રોડ રણુજા મંદિર વિસ્તારમાં ઘર પાસે લઘુશંકા કરવા બાબતે વિજય સમજુભાઈ સોલંકીની થયેલી હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી વિજય ભુપતભાઈ ચાવડાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ, ગઈ તારીખ ૧૨/ ૧૧/ ૨૦૨૪ના રોજ વહેલી સવારે વિજય સોલંકીને વિજય ચાવડાના ઘર પાસે લઘુશંકા કરવાની બાબતે ઝગડો થતા વિજય ચાવડાએ લાકડી વડે માર મારતાં ઇજાગ્રસ્ત વિજય સોલંકીને રિક્ષામાં અને ૧૦૮માં સારવાર માટે સરકારી દવાખાનામાં દાખલ કરેલ અને ચાલુ સારવાર દરમ્યાન બપોરના અરસામાં તેમને મૃત જાહેર કરેલ. જે અંગે ભોગ બનનારના પુત્ર દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી. તેમાં આરોપી વિજય ચાવડાની ધરપકડ અને ધોરણસરની કાર્યવાહી બાદ જેલ હવાલે થયેલ. બાદ તેમના વકીલો મારફત ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ. અરજીની સુનાવણી દરમ્યાન સરકાર પક્ષ તેમને બચાવ પક્ષની દલીલો કોર્ટએ સાંભળી હતી. જેમાં બચાવ પક્ષના વકીલ દ્વારા હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના અલગ-અલગ ચુકાદાઓ ટાંકી દલીલો કરી હતી. જે ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ જસ્ટીસ એમ.આર. મેંગડેએ આરોપીના તરફેની તમામ દલીલો ગ્રાહય રાખી આરોપી વિજય ભુપતભાઈ ચાવડાની જામીન અરજી મંજૂર કરી હતી. આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ જય એમ. વણઝારા, રીધ્ધી એમ. ગણાત્રા, ડેનીશા પટેલ, કૌશલ મહેતા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application