હાઈકોર્ટે નારાયણ સાઈને આપ્યા જામીન, આસારામને મળવા નારાયણ સાઈને જામીન, હવાઈ માર્ગે સુરતથી જશે જોધપુર

  • October 18, 2024 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈને તેમના પિતા આસારામ સાથે મુલાકાત કરવા માટે ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ હુકમ મુજબ, નારાયણ સાઈ જોધપુર જેલમાં બંધ તેમના પિતાને ચાર કલાક માટે મળી શકશે. આ મુલાકાત દરમિયાન અન્ય કોઈને હાજર ન રાખવા પણ હુકમ કરવામાં આવ્યો છે, એટલે કે મુલાકાત દરમિયાન કોઈ ત્રીજી વ્યક્તિ હાજર રહી શકશે નહીં.


હાઈકોર્ટે નારાયણ સાઈની માતા અને બહેનને આ મુલાકાતમાં સામેલ થવાની મંજૂરી આપી નથી. સુરત જેલમાંથી નારાયણ સાઈને હવાઈ માર્ગે જોધપુર લઈ જવામાં આવશે. તેમની સુરક્ષા માટે એક એસીપી, એક પીઆઈ, બે હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની ટુકડી સાથે રહેશે. નારાયણ સાઈને જોધપુર અને પાછા સુરત આવવા-જવાના ખર્ચ માટે પાંચ લાખ રૂપિયાની રકમ સચિન પોલીસ મથકમાં જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ રકમ જમા કરાવ્યા બાદ સરકાર નારાયણ સાઈની જોધપુરની મુલાકાતનો સમય નક્કી કરશે.


ખર્ચ પેટે પાંચ લાખ જમા કરાવવા હુકમ

નારાયણ સાંઈને અવર જવરના ખર્ચ પેટે 5 લાખની રકમ સચિન પોલીસ મથકે જમાં કરાવવા કોર્ટે હુકમ કર્યો છે. સચિન પોલીસ મથકે ડિપોઝિટ જમાં કરાવ્યા બાદ અવર જવરના સમય અંગે સરકાર નિર્ણય લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application