ઇઝરાયેલી સેનાએ લેબનોનની રાજધાની બેતમાં જોરદાર હત્પમલો કર્યેા હતો. ઈઝરાયેલે હિઝબુલ્લાહના હેડકવાર્ટરને નિશાન બનાવ્યુ હતું. જેમાં ચીફ હસન નસરાલ્લાહ પણ હાજર હતા.જો કે તેમના મૃત્યુની પુષ્ટ્રી નથી થઈ પરંતુ આ હત્પમલામાં હિઝબુલ્લાહ ચીફની પુત્રી ઝૈનબનું મોત થયું છે.જેની લાશ મળી આવી છે.જયારે ચીફ હસન નસી છુટો હોવાનું જાહેર કરાયું છે.
ઈઝરાયેલે શુક્રવારે લેબનોનમાં અનેક હવાઈ હત્પમલા કર્યા હતા. બેતના દક્ષિણી ઉપનગરોમાં હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં ઈઝરાયેલની સેના હસન નસરાલ્લાહના મોતની વાત કરી રહી છે. પરંતુ નસરાલ્લાહના મૃત્યુની પુષ્ટ્રિ થઈ નથી. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની પુત્રી ઝૈનબનું અવસાન થયું છે. જો કે, હિઝબુલ્લાહ અથવા લેબનીઝ અધિકારીઓએ પણ આની પુષ્ટ્રિ કરી નથી.ઝૈનબ હિઝબુલ્લાહ પ્રત્યેની તેની વફાદારી અને તેના પરિવારના બલિદાન માટે જાણીતી છે. ઝૈનબે તેના ભાઈ હાદીના મૃત્યુ પર જાહેરમાં વાત કરી હતી. તે ૧૯૯૭ માં ઇઝરાયેલના બોમ્બ દ્રારા માર્યેા ગયો હતો.તેણે કહ્યું, 'યારે મારો ભાઈ હાદી શહીદ થયો ત્યારે મારા માતા–પિતાએ એક પણ આંસુ વહાવ્યું ન હતું.' તેણે કહ્યું કે તેની માતાએ હાદીના મૃત્યુને 'આટરલાઈફ'ના શોર્ટકટ તરીકે જોયું. પરિવારે પરંપરાગત શોક સમારભં યોજવાને બદલે હાદીના બલિદાનને માન આપવાનું પસદં કયુ.
પાકિસ્તાની પત્રકાર અહમદ કુરૈશીએ લખ્યું છે કે, 'ઈઝરાયેલ દ્રારા હત્પમલો કરવામાં આવેલા કમાન્ડ સેન્ટરના કાટમાળમાંથી હિઝબુલ્લાના વડા નસરાલ્લાહની પુત્રી ઝૈનબનો મૃતદેહ મળી આવ્યો છે. લેબનીઝ સત્તાવાળાઓ દ્રારા આની પુષ્ટ્રિ કરવામાં આવી છે.જયારે ઇઝરાયેલની વાયુસેનાએ કહ્યું છે કે તેણે હિઝબુલ્લાહના હેડકવાર્ટર પર હત્પમલો કર્યેા છે. એક અહેવાલ મુજબ આ હત્પમલામાં હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહને નિશાન બનાવવામાં આવ્યો હતો. નસરાલ્લા વિશે કહેવામાં આવી રહ્યું છે કે હત્પમલા વખતે તે કમાન્ડ સેન્ટરમાં પણ હતો.
ઈઝરાયેલના એક અધિકારીએ કહ્યું, 'તેના આવા હત્પમલામાંથી જીવતા બહાર આવવાની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે.' હિઝબુલ્લાના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે ઈઝરાયેલના હત્પમલામાં છ ઈમારતો નાશ પામી હતી. વર્ષભર ચાલેલા સંઘર્ષમાં બેત પર આ સૌથી ઘાતક હત્પમલો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMઉર્વશી રૌતેલા ઓરી સાથે ફેરા ફરશે તેવી જોરદાર અટકળો
February 24, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech