ત્રણ દિવસ સુધી આકાશમાંથી અંગારા વરસશે તેવી હવામાન ખાતાની આગાહી: બપોરે ગરમી અને રાત્રે તથા સવારે ઠંડીનું વાતાવરણ
જામનગર સહિત સમગ્ર હાલારમાં આજથી ગરમી વધશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, ત્રણ દિવસ સુધી ગરમી રહેશે, રાત્રે અને સવારે ઠંડીનું વાતાવરણ જોવા મળશે, હવામાન ખાતાની આગાહીથી લોકોમાં ફરી ચીંતાનું વાતાવરણ થયું છે. ગામડાઓમાં પણ આકરો તાપ પડશે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 34.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 16.6 ડીગ્રી, હવામાં ભેજ 55 ટકા, પવનની ગતિ 20 થી 25 કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હવે ધીરે-ધીરે ગરમી શ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે, જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે. આજે સવારે પણ વાતાવરણમાં સારી એવી ઠંડક જોવા મળી હતી, જો કે બપોરના ભાગે આકરો તાપ રહે છે, પરંતુ સાંજના 6 વાગ્યા બાદ વાતાવરણ ખુશનુમા જેવું રહે છે.
છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમીથી લોકો કંટાળી ગયા હતાં, સામાન્ય રીતે ધુળેટીના તહેવારો બાદ ધીરે-ધીરે ગરમી વધે છે, પરંતુ આ વખતે હોળી પહેલા એક અઠવાડીયું સુર્યદેવતાના પ્રકોપથી લોકો કંટાળી ગયા હતાં. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. આગામી દિવસોમાં ફરીથી ગરમીનો દૌર શ થશે, પરંતુ હાલ તો બે-ત્રણ દિવસથી ગરમીમાં રાહત મળતાં લોકોએ હાંશકારો અનુભવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech